શિવસેના અને ભાજપમાં ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણના કારમે શિવસેનાએ ભાજપને ઘએરતા મુંબઇમાં પોસ્ટર વાર કર્યો છે. શિવસેનાએ મુંબઇમાં પોસ્ટર લગાવ્યા છે. જેની પર લખવામાં આવ્યું છે 'ચલો અયોધ્યા ચલો વારણસી.' ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા અને વારાણસી જવાની જાહેરાત કરીને ભાજપ પર દબાણ બનાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે શિવસેના આગામી લોકસભા ચૂંટણીમાં હિંદુત્વનું કાર્ડ રમીને ભાજપને પછાડવા ઇચ્છે છે.
એની પર શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે અને ત્યાં એક રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ એ વારાણસી જશે અને ગંગા આરતીમાં સામેલ થશે. સાથે જ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે. એમને કહ્યું કે આ એમનો એક નાનો કાર્યક્રમ છે આ ઉપરાંત બીજી કંઇ નહીં.
Uddhav ji said he'll visit Ayodhya address rally&later visit Varanasi he'll participate in Ganga Aarti&offer prayers at Kashi Vishwanath Temple. It's a small event. There's nothing more to it: S Raut on Uddhav Thackeray's posters put up by party leader Milind Narvekar in Mumbai pic.twitter.com/3rALKwtEkb
જણાવી દઇએ આ પહેલા ઠાકરે એ પાર્ટીના મુખપત્ર સામનામે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમા એમેન કહ્યું હતું કે એ હિંદુઓ અને પોતાના શિવસૈનિકો માટે અયોધ્યા અને કાશી જશે એની જાહેરાત તેઓ જલ્દી કરશે. એમને રામ મંદિરના મુદ્દા પર પણ સરકારનો ઘેરાવો કર્યો હતો.
એમને કહ્યું કે ભાજપ ફરીથી એક વખત ચૂંટણીમાં રામ મંદિરના નામનો ઉપયોગ કરવા ઇચ્છે છે. ઠાકરે કહ્યું કે એ જલ્દીથી અયોધ્યા અને વારણસી જશે. કારણ કે ઉત્તર ભારતમાં એમના લાખો કાર્યકર્તા એવું ઇચ્છે છે. લોકો ઇચ્છે છે કે એમના દિવંગત પિતા સાહેબ ઠાકરે અયોધ્યા આવે. એમને કહ્યું કે શિવસેનાએ રામ મંદિર માટે મોટું બલિદાન આપ્યું હતું.
એમને કહ્યું કે એ વારાણસી પહોંચીને ગંગા આરતીમાં પણ ભાગ લેશે. એ દરમિયાન જોશે કે ગંગામાં કેટલી સફાઇ થઇ છે. ત્યારબાદ અયોધ્યા પહોંચીને રામ લલાના દર્શન કરશે સાથે એખ જનસભા સંબોધિત કરશે. જણાવી દઇએ કે આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સહિત પીએમ મોદી અને અમિત શાહ પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા.