કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જાહેરહિતમાં કેન્દ્રીય કર્મચારીઓને નિયત સમય પહેલા રિટાયર્ડ કરવામાં આવી શકે છે. નિયમનો હવાલો આપતા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, 50-55 વર્ષનું આયુષ્ય અથવા તો પછી નોકરીમાં 30 વર્ષ પૂર્ણ કરનાર કર્મીઓને સેવામાંથી હટાવવામાં આવી શકે છે.
ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ એકશનમાં સરકાર
ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત કરશે સરકાર
ઉલ્લેખનીય છે કે, પેન્શન રૂલ્સના આ 2 નિયમ કર્મચારીના પરફોર્મન્સ રિવ્યૂને સીમિત નહીં કરવામાં આવે. આ સાથે જ આવા સરકારી કર્મચારી જેઓ FR 56(j) અને CCS(પેન્શન)નિયમ 1972ના 48માં રૂલ મુજબ રિટેન થવાની મંજૂરી મેળવી લીધી છે તેમણે પણ રિવ્યૂનો સામનો કરવો પડી શકે છે.
રિપોર્ટમાં થયો ખુલાસો
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સરકારી સૂત્રોના હવાલાથી પોતાના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે નવા નિયમોનો ઉદેશ્ય ફંડામેન્ટલ રૂલ 65(J)I અને CCS(પેન્શન) નિયમના 48માં નિયમના સંદર્ભમાં પહેલા જાહેર ઓર્ડરની વ્યાખ્યાની અસ્પષ્ટતાને ખતમ કરવી છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીનું પરફોર્મન્સ રિવ્યૂ 50/55 વર્ષની ઉંમર અથવા 30 વર્ષની નોકરી કર્યા બાદ કરવામાં આવશે. ત્યારબાદ જનહિતમાં નિર્ણય લેવામાં આવશે કે તેમને નોકરીમાં રાખવામાં આવશે કે પછી રિટાયર્ડ કરવામાં આવશે.
એક અધિકારીએ જણાવ્યું કે, 28 ઓગસ્ટના OM ઇન્ટ્રક્શનના ઉદેશ્ય વ્યાખ્યામાં કોઇપણ પ્રકારની અસ્પષ્ટતાને ખતમ કરવી છે પછી તે સરકારી કર્મીઓના પરફોર્મન્સ રિવ્યૂના સંદર્ભમાં હોય કે પછી સમય પહેલા રિટાયર્ડમેન્ટના સંદર્ભમાં. અધિકારીએ એવું પણ સ્પષ્ટ કર્યું કે, તાજું DoPT ઓફિસ મેમોરેન્ડમમાં કોઇ નવો નિયમ નથી.
કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી
કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની તપાસ કરવાનું કહ્યું છે કે જેમણે સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે અથવા 50-55 વર્ષની વયના છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે સરકારી કર્મચારીઓ કે જેમણે 3૦ વર્ષ પૂર્ણ કર્યા છે અથવા 5૦-55 વર્ષની વય ધરાવતા છે તેમના સર્વિસ રેકોર્ડમાં અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થવી જોઈએ.