કેન્દ્ર સરકારે સોનાના ઘરેણા પર હોલમાર્કિંગ અનિવાર્ય કરવાનો સમય 1 જૂન 2021 નક્કી કર્યો હતો પરંતુ કોરોના વાયરસના કારણે તેને 15 જૂન સુધી વધારવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે નકલી સોનાના વેચાણ પર રોક લાગશે.
ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગની ડેડલાઈન વધી
કેન્દ્ર સરકારે ફરી વધારી આ 1 જૂનની ડેડલાઈન
15 જૂનથી થશે નવો નિયમ લાગૂ
કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે આવનારા મહિનાના પહેલા દિવસે એટલે કે 1 જૂનથી દેશમાં બીઆઈએસના હોલમાર્કિંગના આભૂષણ જ બનશે. પરંતુ કોરોના મહામારીની બીજી લહેરને જોતા સરકારે હોલમાર્કિંગની અનિવાર્યતાને લાગૂ કરવાની ડેડલાઈનને 15 દિવસ વધારી છે. એટલે કે 15 જૂનથી આ નિયમ લાગૂ થશે. એટલે કે સોનાના ઘરેણાની ખરીદીમાં દગાખોરીની શક્યતા રહેશે નહીં.
સરકારે નવી વ્યવસ્થા લાગૂ કરવા બનાવી સમિતિ
વ્યાપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને જવેલરી ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોને સરકાર પાસેથી હોલમાર્કિંગની તારીખ 1 જૂનથી વધારવાની માંગ કરી હતી. હાલની સરકારે આ માંગ માની છે. અને સાથે નવી વ્યવસ્થાની તૈયારી કરવાનો પૂરતો સમય પણ મળ્યો છે. સાથે સરકારે 15 જૂનથી જ્વેલરી વેચવાની નવી વ્યવસ્થા લાગૂ કરવાને માટે સમિતિ બનાવી છે. તે હોલમાર્કિંગ સાથે જોડાયેલા મુદ્દાનું સમાધાન કરશે. રેલ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે દેશમાં ગ્રાહકોને કોઈ રાહ જોયા વિના હોલમાર્ક પ્રમાણિત જ્વેલરીનું વેચાણ થવું જોઈએ.
ગ્રાહકોને હોલમાર્કિંગમાં મળશે આ જાણકારી
દેશમાં હોલમાર્કિંગ લાગૂ કરવાની તારીખને વધારી દેવામાં આવી છે. પહેલા આ નિયમ જાન્યુઆરી 2021માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને 1 જૂન સુધી વધારાયો અને હવે તેને 15 જૂન સુધી વધારી દેવાયો છે. હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માનદંડો સાથે જોડવામાં આવ્યું છે.
ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાનું કરાવો હોલમાર્કિંગ
હોલમાર્કિંગ લાગૂ થયા બાદ ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાનું શું થશે તે એક પ્રશ્ન છે. તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્ટર પર જઈને તમારા જૂના ઘરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે. નિયમ લાગૂ થયા બાદ હોલમાર્કિંગ વિનાના ઘરેણા વેચવામાં મુશ્કેલી આવી રહી છે. તેની કિંમત ઓછી મળી શકે છે. જો કોઈ પણ નિયમનું પાલન નહીં કરે તો 1 લાખથી લઈને જ્વેલરીના ભાવના 5 ગણા સુધીનો દંડ કરવામાં આવશે. જ્વેલર્સને દગાખોરીની સાથે 1 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. તપાસ માટે સરકારે BIS-Care નામથી એપ લોન્ચ કર્યું છે. તેનાથી એપ પર જ શુદ્ધતાની તપાસ અને ફરિયાદ કરી શકાશે.