કેન્દ્ર સરકારે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તીનું કામ હાથ પર લીધો હોવાનો સૂત્રોએ જણાવ્યું છે.
નવા સીડીએસની નિયુક્તી કરશે સરકાર
આવતા અઠવાડિયે થશે નામની જાહેરાત
જનરલ બિપિન રાવતના નિધનને પગલે ખાલી પડી હતી જગ્યા
નિવૃત અને ચાલુ અધિકારીઓમાંથી કોઈની થશે પસંદગી
પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતના આકસ્મિક નીધનના પાંચ મહિના બાદ કેન્દ્ર સરકારે તેમની ખાલી પડેલી જગ્યા ભરવાની વિચારણા કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે સેવા બજાવી રહેલા અને નિવૃતી લશ્કરી અધિકારીઓ એમ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની સરકારની ઈચ્છા છે.
કોણ બની શકે નવા સીડીએસ
નવા સીડીએસ તરીકે ચાલુ અને નિવૃત લશ્કરી અધિકારીઓના નામ પર સરકારે વિચારણા શરુ કરી છે એટલે આમાંથી કોઈની નિયુક્તી થઈ શકે છે. લેફ.જનરલ અથવા તો તેમની સમકક્ષના કોઈ અધિકારીની પણ સીડીએસ તરીકે પસંદગી થઈ શકે છે.
આવતે અઠવાડિયે થશે નવા સીડીએસની જાહેરાત
સૂત્રોએ એવું પણ કહ્યું કે કેન્દ્ર સરકારે આવતે અઠવાડિયે નવા સીડીએસના નામની જાહેરાત કરી શકે છે કારણ કે આ સંદર્ભમાં નિર્ણય લેવાઈ ચૂક્યો છે.
પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં થયું હતું નીધન
8 ડિસેમ્બરના રોજ એક દર્દનાક ઘટનામાં ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત પોતાની પત્ની સાથે હવાઈ દુર્ઘટનામાં શહીદ થયા હતા. આ ઘટનામાં અન્ય ૧૨ સંરક્ષણ કર્મચારીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સીડીએસ રાવત તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી)માં જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. બીજા દિવસે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંસદના બંને ગૃહોને માહિતી આપી હતી કે કુન્નુર એર બેઝ એર ટ્રાફિક કંટ્રોલે તેના નિર્ધારિત ઉતરાણની લગભગ 12.08 મિનિટ પહેલાં સવારે 12.08 વાગ્યે એમઆઈ -17 વી 5 હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. થોડી જ મિનિટોમાં, જવાનોને લઈ જતું એમઆઈ -17 વી 5 વિમાન કુન્નુર તાલુકાના જંગલ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકલા જ બચી ગયા હતા. 9 ડિસેમ્બરના રોજ તેમને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાંથી કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જો કે, થોડા દિવસો બાદ વધુ ઇજાઓને કારણે તેમનું પણ અવસાન થયું હતું.