કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળના CBSE બોર્ડે દેશની તમામ સ્કૂલોને 1 એપ્રિલ પહેલા નવું શૈક્ષણિક સત્ર શરુ ન કરવાની તાકીદ કરી છે.
CBSE બોર્ડની સ્કૂલોને ચેતવણી
1 એપ્રિલ પહેલા શરુ ન કરતાં નવું શૈક્ષણિક સત્ર
1 એપ્રિલ પછી જ શરુ કરી શકાશે
વહેલું સત્ર શરુ કરનાર સ્કૂલો સામે કાર્યવાહી
ઘણી સ્કૂલો વહેલું શૈક્ષણિક સત્ર શરુ કરતી હોવાનું ધ્યાનમાં આવતાં કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળના CBSE બોર્ડે દેશની તમામ સ્કૂલોને 1 એપ્રિલ પહેલા નવું શૈક્ષણિક સત્ર શરુ ન કરવાની તાકીદ કરી છે. વહેલું સત્ર શરુ કરનાર સ્કૂલો સામે કાર્યવાહીની પણ વાત કરાઈ છે.
CBSE warns schools against starting new academic session before April 1: Board Secretary Anurag Tripathi
CBSE બોર્ડના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ આપી ચેતવણી
CBSE બોર્ડના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે ઘટાયેલા સમયગાળામાં અભ્યાસક્રમ કવર કરવા માટે શૈક્ષણિક સત્ર વહેલું શરુ કરવાને કારણે વિદ્યાર્થીઓ ચિંતાની લાગણી પેદા થાય છે જે સરવાળે તેના શિક્ષણ પર અસર પાડે છે.
Preponing academic session to cover syllabus in reduced timeframe causes anxiety, burnout in students: CBSE
1 એપ્રિલ પછી નવું શૈક્ષણિક સત્ર શરુ કરી શકાશે
બોર્ડ સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે સ્કૂલો 1 એપ્રિલ પછી નવું શૈક્ષણિક સત્ર શરુ કરી શકશે પરંતુ તે પહેલા શરુ કરનાર સ્કૂલોની સામે કાર્યવાહી કરાશે. આ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.