22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડ કેસના મુખ્ય આરોપી ABG ગ્રુપના ફાઉન્ડર ઋષી અગ્રવાલની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે.
ABG ગ્રુપના ફાઉન્ડર ઋષી અગ્રવાલની ધરપકડ કરી
ઋષી અગ્રવાલ પર 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડનો કેસ
સીબીઆઈ 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડની કરી રહી છે તપાસ
ભારતના અત્યાર સુધીના સૌથી મોટા બેન્ક ફ્રોડમાં મોટી કાર્યવાહી કરતા સીબીઆઈએ ગુજરાત સ્થિત શિપિંગ કંપની ABG Shipyard Ltdના ચેરમેનની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842 હજાર કરોડ બેન્ક ફ્રોડની કરી રહી છે. આ પહેલા સીબીઆઈ આ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે.
CBI arrests Rishi Kamlesh Agrawal, Chairman and Managing Director of Surat-based ABG Shipyard on charges of duping a consortium of 28 banks of Rs 22,842 crores of bank fraud: CBI Sources
28 બેન્કોમાં 22,842 કરોડનો ફ્રોડ
સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે 28 બેન્કોને 22,842 કરોડની ઠગવા બદલ સુરત સ્થિત ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
2012થી 2017ની વચ્ચે 28 બેન્કોને લગાડ્યો 22,842 કરોડ રૂપિયાનો ચૂનો
એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842 કરોડ રૂપિયાનો ફ્રોડ આચર્યો હતો જે થોડા સમય પહેલા બહાર આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇનો સમાવેશ થાય છે.
જે હેતુ માટે લોન લીધી તે હેતુ માટે પૈસા ન વાપર્યાં
ABG Shipyardના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને બીજા આરોપીઓએ 2012થી 2017ની વચ્ચે 28 બેન્કોમાંથી 22,842 કરોડની ક્રેડિટ સુવિધા મેળવી હતી જે ચૂકવ્યા નહોતા. 2016માં આરોપીઓની લોનને એનપીએ જાહેર કરાઈ હતી. બેન્કે જે હેતુ માટે લોન આપી હતી તેને માટે લીધેલા પૈસાનો ઉપયોગ કરાયો નહોતો.