લદ્દાખ સાથેની કનેક્ટિવિટી માટેનું કામ પૂર્ણતાના આરે છે. અત્યાર સુધી જે સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેમાંથી રાહત મળશે. કેમ કે હિમવર્ષાને કારણે ઘણીવાર માર્ગ બંધ રહેતા હતા. આ સરહદ ચીન સાથે જોડાયેલી છે જેથી અહી સુધી પહોચવામાં આવતી અડચણ દુર કરવી ખૂબ જરુરી છે. જેને કારણે સેના અન તેમની જરુરીયાતનો સામાન અને હથિયાર મોકલવામાં બહું મુશ્કેલી પડતી હતી.
લદ્દાખમાં કનેક્ટિવિટી માટેનું કામ પૂર્ણતાના આરે
રોડ બનતા આખુ વર્ષ લદ્દાખ દેશથી જોડાયેલુ રહેશે
હિમવર્ષામાં પણ લેહ-કારગિલનો માર્ગ રહેશે ખુલ્લો
નવો રોડ બનતા 365 દિવસ મળશે કનેક્ટિવિટી
ઉંચા પહાડોને તોડીને રોડ બનાવાઇ રહ્યો છે. રોડ બનતા આખું વર્ષ લદ્દાખ દેશથી જોડાયેલુ રહેશે. હિમવર્ષામાં પણ લેહ-કારગિલનો માર્ગ ખુલ્લો રહેશે. રોડ પરના શિંગુલા પર ટર્નલ બનાવાઇ રહી છે.
રોડ ક્નેક્ટિવિટી મળતા સેના માટે સરળતા રહશે. હાલ લેહ-કારગિલ માટે માત્ર 2 જ રસ્તા છે. હાલના બંન્ને માર્ગના રૂટ હિમવર્ષામાં બંધ થઈ જાય છે. નવો રોડ બનતા 365 દિવસ કનેક્ટિવિટી મળશે. જેના કારણ સરહદ પર જરુરી સામાન તથા વધારે ફોર્સને મોકલવામાં સરળતા રહેશે. જ્યારે પણ સરહદ પર સેનાની કે સેનાને અન્ય વસ્તુઓની જરુર હોય તો તેમને મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે ચીનને એ જ વાતની અકળામળણ છે કે ભારત આવા રોડ બનાવી રહ્યું છે. જેના કારણે તે વારંવાર આ કામમાં વિદ્ધન લાવી રહ્યું છે. તે વાંરવાર લદ્દાખમાં ભારત દ્વારા બનાવવામાં આવી રહેલા રોડનો વિરોધ કરી રહ્યું છે.