બ્રિટને હાલમાં ભારતને કોરોનાની રસી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેણે આ અંગે જાણો શું કારણ જણાવ્યું છે.
બ્રિટન પાસે રસીનો જથ્થો એટલા પ્રમાણમાં નથી
બ્રિટનમાં કોરોનાને કારણે હોસ્પિટલો પર ભારે બોઝો છે
ન્યૂઝીલેન્ડે લગભગ 7 લાખ અમેરિકન ડોલર આપવાનું એલાન કર્યુ
આ કારણે બ્રિટને નિર્ણય કર્યો છે
બ્રિટને હાલમાં ભારતને કોરોનાની રસી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. બ્રિટને કહ્યું છે કે તેમની પાસે રસીનો જથ્થો એટલા પ્રમાણમાં નથી કે તે ભારતને આપી શકે. સ્વાસ્થ્ય મંત્રી મેટ હૈંકોકે કહ્યુ કે બ્રિટનમાં કોરોનાને કારણે હોસ્પિટલો પર ભારે બોઝો છે જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Britain has no surplus of COVID-19 vaccines to give to India as it faces a deadly wave of coronavirus that puts intense pressure on hospitals, health minister Matt Hancock: Reuters
ન્યૂઝીલેન્ડે લગભગ 7 લાખ અમેરિકન ડોલર આપવાનું એલાન કર્યુ
દેશમાં આ સમયે કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે રોજના સાડા 3 લાખથી વધારે નવા મામલા મળી રહ્યા છે. તેવામાં બીજા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. આ તબક્કામાં કેનેડાના 10 મિલિયન ડોલર આપવાનું એલાન કર્યુ હતુ તો સાઉથ કોરિયાએ મેડિકલ સપ્લાય મોકલવાની વાત કરી હતી. ન્યૂઝીલેન્ડે લગભગ 7 લાખ અમેરિકન ડોલર આપવાનું એલાન કર્યુ છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી નનાઈયા મહુતા એ બુધવારે (28 એપ્રિલ)એ આ જાહેરાત કરી હતી.
આ દેશ પર કરી રહ્યા છે મદદ
ઉલ્લેખનીય છે કે ભારતની મદદ કરનારા દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, રશિયા અને બ્રિટનની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, ચીન, કેનેડા, થાઈલેન્ડ વગેરે સામેલ છે. આ દેશઓમાં ઓક્સિજન ઉપરાંત વેન્ટિલેટર અને માસ્ક પણ આવી રહ્યા છે. સિંગાપુરે ભારત માટે ઓક્સિજનથી ભરેલા 2 વિમાન મોકલ્યા તો કેનેડાએ 60 કરોડની મદદ મોકલવાનું એલાન કર્યુ છે. આ ઉપરાંત બ્રિટને 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સનો પહેલો જથ્થો મોકલી ચૂક્યા છે.
દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 18, 368, 096 થઈ ગઈ
દેશમાં બુધવારે એક દિવસમાં સૌથી વધારે 379, 459 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને આ દરમિયાન 3647 લોકોના મોત થયા છે. મહામારીની શરુઆતથી આ પહેલી વાર છે કે જ્યારે દેશમાં એક દિવસમાં લગભગ 3 લાખ 80 હજારની આસપાસ નવા કેસ આવ્યા છે અને આટલી મોટી સંખ્યામાં મોત થયા છે. આ પ્રકારે દેશમાં કોરોનાના કુલ મામલાની સંખ્યા 18, 368, 096 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 204,812 લોકોના મોત થયા છે.