અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ 'રક્ષા બંધન' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
સોશિયલ મીડિયા પર ટ્રેડ થયુ બોયકોટ રક્ષાબંધન
ફિલ્મ રક્ષાબંધન 11 ઓગસ્ટે થશે રિલીઝ
ટ્વીટ અને વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ
બોલિવૂડ ફિલ્મોને લઈને રોજ નવા વિવાદો જોવા અને સાંભળવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના બોયકોટના સમાચાર આવી રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં રહી છે. લોકોનો આ ગુસ્સો આમિર ખાનને પણ ઘણી મુશ્કેલીમાં મુકી રહ્યો છે. ત્યાં જ આમિર બાદ હવે ખેલાડી અક્ષય કુમાર પણ આવા જ વિવાદનો સામનો કરી રહ્યો છે.
હકીકતે અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની આગામી ફિલ્મ 'રક્ષા બંધન' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝના એક અઠવાડિયા પહેલા જ ફિલ્મને લઈને લોકોનો ગુસ્સો સામે આવ્યો છે. લાલ સિંહ ચઢ્ઢાની સાથે, #BoycottRakshaBandhanMovie પણ આ સમયે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આનું કારણ અક્ષયનું જૂનું ટ્વિટ છે, જે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છવાયેલું છે.
This Rakshabandhan feed some poor brother & sister instead of wasting money on Akshay Kumar's upcoming film "Raksha Bandhan". pic.twitter.com/0rOju3V0rk
અક્ષયના ટ્વીટ પર યુઝર્સની કમેન્ટ
પોતાના ટ્વીટમાં અભિનેતાને મહાશિવરાત્રિની શુભકામનાઓ આપતાં તેઓ કહી રહ્યા છે કે આ દિવસે દૂધ બગાડવાને બદલે કોઈ ગરીબને આપો. ત્યાં જ ફિલ્મ 'રક્ષા બંધન' સ્ક્રિપ્ટ કનિકા ધિલ્લોનની જૂની ટ્વિટ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તે બીજેપી પાર્ટી પર નિશાન સાધતી જોવા મળી રહી છે. અક્ષયના ટ્વીટ પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, "આ રક્ષાબંધન પર અક્ષય કુમારની આગામી ફિલ્મ "રક્ષા બંધન" પર પૈસા વેડફવાને બદલે કેટલાક ગરીબ ભાઈ-બહેનને ખવડાવો.
યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
અન્ય એક યુઝરે લખ્યું, ચાલો બોલીવુડ ફિલ્મો જોવાને બદલે પૈસા દાન કરીને રક્ષાબંધનની ઉજવણી કરીએ. આ સિવાય બીજાએ લખ્યું- અક્ષય કુમાર પણ બોલે છે કંઈક અને કરે છે. લાગે છે કે તેમને પણ બોલિવૂડનો કીડો કરડ્યો છે. અક્ષયની સાથે-સાથે કનિકા વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ તમામ વિવાદો પર અક્ષય કુમાર કેવી પ્રતિક્રિયા આપે છે.