પાંચ વર્ષ જૂના કેસમાં LCBએ મુખય આરોપીને ઝડપી કાર્યવાહી શરુ કરતા રોકાણકારોને આવાસ મળવાની આશા જાગી છે
વડોદરાના વાઘોડીયામાં 2016માં સસ્તા ઘરની આશાએ લોકોએ લોન કરીને મકાન બુક કરાવ્યું હતું. જોકે બિલ્ડરે આજ સુધી કોઈપણ ગ્રાહકને પઝેશન અપાયું નથી. 122 ગ્રાહકોને રાતા પાણીએ રડવાનો વખત આવ્યો છે. જોકે પાંચ વર્ષ જૂના કેસમાં LCBએ મુખય આરોપીને ઝડપી કાર્યવાહી શરુ કરતા રોકાણકારોને આવાસ મળવાની આશા જાગી છે.
લોભામણી જાહેરાત દ્વારા લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર આરોપી સંજય શાહ અને તેના ભાગીદારોએ ભારે તામઝામ વચ્ચે વાઘોડિયામાં 800મકાનની સ્કિમનુ 2016માં લોન્ચિંગ કર્યુ હતું. લોકોને લાગ્યું કે, સસ્તી કિંમતમાં મકાન મળે છે. જેના આધારે 122 રોકાણકારોએ લોન લઈને મકાનો બુક કરાવ્યા હતા. જોકે સંજય શાહ એન્ડ કંપની આજ સુધી મકાનો ન બનાવતા રોકાણકારો ફસાયા છે. 2016થી અત્યાર સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા લોકોની સાચી ફરીયાદની તપાસ હાથ ધરાઈ છે.
ઉચ્ચ અધિકારીઓને તથ્ય લાગતા તપાસ LCBને સોંપવામાં આવી હતી. જેની તપાસમાં બહાર આવ્યું કે, સંસ્કાર નગર નામથી મૂકવામાં આવેલી સ્કિમમાં DBSપ્રા.લી કંપનીના માલિકોએ મકાનો પુરા ન કરીને નાણા લઈ લીધા છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરી છે. હાલ 21 વ્યક્તિઓ પાસેથી 1.54 કરોડ રૂપિયા લીધા હોવાનુ બહાર આવ્યું છે. જેવા 122 લોકો છેતરાયા હોવાનું ખુલ્યું છે. ત્યારે LCBએ સંજય શાહની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.