વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈને વિવાદોમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત તેમણે વિવાદિત નિવેદન આપ્યુ છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન મતદારોને ધમકી આપી હતી.
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈને વિવાદોમાં રહે છે. ત્યારે હવે ફરી એક વખત તેમણે વિવાદિત નિવેદન આપ્યુ છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન મતદારોને ધમકી આપી હતી.
મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન જણાવ્યુ કે, આ વિસ્તારમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે. સરકાર દ્વારા તેમને પાણી, લાઈટની સુવિધા આપવામાં આવે છે અને જો એ લોકો ભાજપને વોટ નહી આપે તો તેમની ખેર નથી. તેમણે તમામ બુથમા કમળના નિશાન પર મતદાન કરવા માટે લોકોને ધમકી આપી હતી. અને નરેન્દ્ર મોદીને ફરી એક વખત PM બનાવવા માટે જણાવ્યુ હતું.
કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વાયરલ વીડિયોને લઇ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસ કહ્યું કે, ભાજપના લોકો ગુંડાગીરી અને ધમકીનો ઉપયોગ કરે છે. મધુ શ્રીવાસ્તવ જે ભાષા બોલી રહ્યા છે તે ભાજપની ભાષા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવે કરેલી વાતનો સરકાર જવાબ આપે અને તેમની સામે ચૂંટણીપંચ કાર્યવાહી કરે.
આ સાથે જ ચૂંટણીપંચની ફરજ છે કે, ડર અને ભય વિના લોકો મતદાન કરે. ઉલ્લેખનીય છે કે,ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન મતદારોને ધમકી આપી હતી. મધુ શ્રીવાસ્તવે એક સભા દરમિયાન જણાવ્યુ કે, આ વિસ્તારમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે.
સરકાર દ્વારા તેમને પાણી, લાઈટની સુવિધા આપવામાં આવે છે અને જો એ લોકો ભાજપને વોટ નહી આપે તો તેમની ખેર નથી. તેમણે તમામ બુથમા કમળના નિશાન પર મતદાન કરવા માટે લોકોને ધમકી આપી હતી અને નરેન્દ્ર મોદીને ફરી એક વખત PM બનાવવા માટે જણાવ્યું.
સળગતા સવાલ
શું હવે ભાજપ લોકોને ધમકાવીને મત મેળવશે ?
ધારાસભ્ય કેમ સડકછાપ ગુંડાની ભાષા બોલે છે ?
શું મત લેવા માટે ગરીબો પર દબાણ કરશો ?
ગેરકાયદેસર રહે છે તો અત્યાર સુધી કેમ ન કરી કાર્યવાહી ?
ભાજપના નેતાનું ટપોરી જેવુ વર્તન કેટલુ યોગ્ય ?
શું મધુ શ્રીવાસ્તવ ગરીબ લોકોને ધમકાવીને ચૂંટણી જીતે છે ?
લોકશાહીની વાતો કરનાર ભાજપ આવા નેતા સામે પગલા લેશે ?
શું મધુ શ્રીવાસ્તવ સ્વસ્થ ચૂંટણી પ્રક્રિયામાં અડચણ બની રહ્યા છે ?
શું ચૂંટણી પંચ આવા દાદાગીરી કરનાર નેતાઓ સામે પગલા ભરશે ?