ગાંધીનગરઃ કહેવાય છે કે રાજકારણમાં કોઇ મિત્ર કે શત્રુ હોતો નથી. એ વાત ગુજરાત ભાજપ અને કોંગ્રેસે સાબિત કરી છે. એકતરફ વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસની મારામારીના દ્રશ્યો જનતા ભૂલી નથી. તેમજ જે ધારાસભ્યોને માર પડી તેની પિડા હજી તાજી જ હશે કે ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ એક થઈ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કિરીટસિંહ રાણાએ ફોર્મ પરત ખેંચ્યું છે. તેમજ અપક્ષ ઉમેદવાર પી.કે.વાલેરાએ પણ ફોર્મ પરત ખેંચ્યું છે. જીતુ વાઘાણી અને પરેશ ધાનાણીની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.
જેના પરિણામે રાજ્યસભાની ચૂંટણી બિનહરિફ થશે. બીજીબાજુ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાની જીત નક્કી માનવામાં આવે છે. તેમજ કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની જીત નક્કી છે.