પ્રવાસી મજૂરોને લઈને દેશમાં રાજનીતી ગરમાઈ છે. શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે બંગાળની સરકારે ટ્રેનોને જવાની મજુરી નથી આપી. ભાજપના નેતાએ કહ્યું કે જે રાજ્યોમાં મજૂરો છે અને જ્યાં મજૂરોને જવાનું છે. ત્યા બન્ને રાજ્યોની સરકાર પાસે પરવાનગી લેવી પડે છે. અત્યર સુધી પ. બંગાળની સરકારે માત્ર 9 ટ્રેનોને પરવાનગી આપી છે.
મમતા સરકાર પર ભાજપનો મોટો આક્ષેપ
પ્રવાસી મજૂરો માટે ટ્રેનને પરવાનગી નહીંઃ સંબિત પાત્રા
અમિત શાહે મમતાને ચિઠ્ઠી લખી છે
સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે આજે કેટલીય રિસીવ કરનારા રાજ્યોએ પરવાનગી નથી આપી. ઉત્તર પ્રદેશ સરકારે 487 ટ્રેનોને પ્રવેશ આપવાની પરવાનગી આપી છે. એટલા માટે યુપીના મજૂર આસાનીથી આવી રહ્યા છે. બિહાર સરકારે 254 ટ્રેનને રાજ્યમાં આવવાની પરવાનગી આપી છે.
વિપક્ષ સરકારો પર સંબિત પાત્રા વરસ્યા
ભાજપના નેતા મમતા સરકાર પર આરોપ લગાવ્યો હતો કે અત્યાર સુધી બંગાળ સરકારે ફક્ત 9 ટ્રેનોને પ્રવેશ આપવાની પરવાનગી આપી હતી. આ દરમિયાન બંગાળના લાખો મજૂરો બહાર ફસાયેલા છે. કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં ફક્ત 10 ટ્રેનોની પરવાનગી આપી હતી. ઝારખંડ સરકારે પણ ઘણી ઓછી ટ્રેનોને પરવાનગી આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યુ હતું સંબિત પાત્રાએ કહ્યું કે તમારા રાજ્યોની સરકારે ટ્રેનોને પરવાનગી કેમ નથી આપી રહી. આજે રસ્તાઓ પર જે તસ્વીરો જોવા મળી રહી છે આ તેનું પરિણામ છે.
કેન્દ્ર ખર્ચ ઉઠાવી રહ્યો છે, છતાં કોઈ વ્યવસ્થા નથી
ભાજપના નેતાએ દાવો કર્યો છે કે પ્રવાસી મજૂરોને શેલ્ટર હોમ, જમવાનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. પરંતુ રાજ્ય સરકાર આના માટે કોઈ વ્યવસ્થા નથી કરી રહી. મજુરોની હાલત માટે આજે કોંગ્રેસ અને ટીએમસીની સરકાર જવાબદાર છે. સંબિતે આરોપ લગાવ્યો છે કે બંગાળની સરકારે અજમેર ગયેલા લોકોને લાવવા માટે ટ્રેન ચલાવી, પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી વધારે મજૂરો છે ત્યાં કોઈ પરવાનગી નથી આપી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર તરફથી રાજ્યને સિફારીશોના આધાર પર શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેમ છતા સતત મજૂરો રસ્તાઓ પર ચાલતા અથવા સાઈકલથી ઘરે જઈ રહ્યા છે તેવી તસ્વીરો સામે આવી રહી છે. બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે પહેલાથી જ તાલ મેલ નથી. આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ મમતા બેનર્જીને ચિઠ્ઠી લખી હતી.