બિહારના ગોપાલગંજમાં 264 કરોડના ખર્ચે બનેલો સત્તરઘાટ મહાસેતુ બુધવારે પાણીના દબાણને કારણે ધ્વસ્થા થઈ ગયો હતો. જેને લઈને રાજકારણ શરુ થયું હતુ. એ બાદ ચોર કોટવાલને દંડે અથવા તો એવું માનો કે ચોરી ઉપર સે સીના જોરી જેવો ઘાટ સર્જાયો છે. આ પુલ પ્રકરણમાં સીઓ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોએ આ ઘટનાથી અજાણ એવી ગામજનોને આ પુલના તુટવા માટે જવાબદાર ઠેરવ્યા છે.
સીઓ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે દાખલ કરાવી એફઆઈઆર
ગામજનો પર રોડ કાપવાનો આરોપ
આ ઘટનામાં 3 અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે
બિહારના ગોપાલગંજમાં સત્તરઘાટ પર બનેલા એક નાના પુલનોએપ્રોચ રોડ ધરાશાયી થવાના મામલામાં અલગ અલગ 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બૈંકુઠપુર પોલીસ સ્ટેશનમાં સીઓ, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરે એફઆઈઆર દાખલ કરાવી છે. સીઓએ જિલ્લા પરિષદ સભ્ય રવિ રંજન ઉર્ફે વિજય બહાદુરના સાથીઓ પર લોકડાઉનના ભંગની ફરિયાદ નોંધાવી. કોન્ટ્રાક્ટર ઉદય સિંહે ફૈજુલ્લાહપુરના સરપંચ સહિત ગ્રામજનોને કન્સ્ટ્રક્શન કામમાં અડચણ ઉભી કરવાની ફરિયાદ નોંધાવી.
તેમજ પુલ નિગમના એન્જિનિયરે અજ્ઞાત ગામજનો પર જબરજસ્તી નિગમનું જેસીબી લઈને રસ્તો કાપી અને કામમાં અડચણ ઉભી કરવાની ફરિયાદ નોંધાવી છે. જોકે પુલ તુટલા પર કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં નથી આવી.
ત્યારે રોડ રસ્તા નિર્માણ મંત્રી નંદ કિશોક યાદવે જાણે સાવ સામાન્ય ઘટના હોય તેમ નિવેદન આપતા કહ્યુ હતું કે સત્તર ઘાટનો પુલ સલામત છે. બંધની અંદરનો પુલનો અપ્રોચ રોડ તુટ્યો છે કુદરતી ઘટના છે. વધારે પ્રવાહને કારણે આવુ થાય. પાણીનો પ્રવાહ ઓછો થશે ત્યારે સરખો કરી લઈશું. આ સાથે સરકારે દાવો કર્યો હતો કે 264 કરોડનો સત્તર ઘાટ નથી તુટ્યો.
8 वर्ष में 263.47 करोड़ की लागत से निर्मित गोपालगंज के सत्तर घाट पुल का 16 जून को नीतीश जी ने उद्घाटन किया था आज 29 दिन बाद यह पुल ध्वस्त हो गया।
ख़बरदार!अगर किसी ने इसे नीतीश जी का भ्रष्टाचार कहा तो?263 करोड़ तो सुशासनी मुँह दिखाई है।इतने की तो इनके चूहे शराब पी जाते है pic.twitter.com/cnlqx96VVQ
આ મામલે નીતિશ સરકાર પર વિપક્ષ તથા રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ પર વીડિયો પોસ્ટ કરીને તેમને ટાંચમાં લીધા હતા.
તેજસ્વી યાદવે પોતાના ટ્વીટમાં લખ્યું કે ,‘ 8 વર્ષમાં 263.47 કરોડના ખર્ચે ગોપાલગંજના સત્તર ઘાટ પુલનું 16 જૂનના રોજ નીતિશ જીએ ઉદ્ઘાટન કર્યુ હતુ. આજે 29 દિવસ પછી આ પુલ ધરાશાયી થઈ ગયો છે. ખબરદાર, કોઈએ પણ આને નીતિશ કુમારનો ભ્રષ્ટાચાર કહ્યો છે તો? 263 કરોડ તો સાશનની મુહ દિખાઈ છે. આટલાની તો તેમના ઉંદરો દારુ પી જાય છે.’