બિહારમાં 28 ઓક્ટોબરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જેને લઇને પ્રદેશમાં બધા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જો કે આ વચ્ચે ભાજપ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. પાર્ટીના સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈન, રાજીવ પ્રતાપ રુડી, સુશીલ મોદી અને મંગલ પાંડે ક્વોરોન્ટાઇન થયા છે.
જો કે અત્યાર સુધી માત્ર શાહનવાઝ હુસૈનના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી કરવામાં આવી છે. બાકી નેતાઓને લઇને મીડિયામાં આ અંગેની અટકળો ચાલી રહી છે કે તેઓ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે, ત્યાર બાદ આ નેતાઓએ પોતાને ક્વોરોન્ટાઇન કરી દીધા છે. જો કે હજી આ અંગેની સત્તાવાર કોઇ પુષ્ટી કરવામાં આવી નથી.
I had come in contact with few people who tested positive for Covid 19.
I got myself tested today & my report has come positive.
Request all who came in contact with me in last few days, kindly get yourself tested according to Govt guidelines.
ભાજપ નેતા શાહનવાઝ હુસૈન પોતાના ટ્વિટર હેંડલ પરથી કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી કરી છે. તેમણે લખ્યું છે કે હું કેટલાક એવા લોકોના સંપર્કમાં આવ્યો હતો જે કોરોના સંક્રમિત જોવા મળ્યાં. આજે મે પોતાનો ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે, હું છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યો હોય તે લોકોને અપીલ કરુ છે કે તેઓ સરકારી ગાઇડલાઇન્સ મુજબ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લે.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાલ જ્યાં બધા પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોર-શોરથી કરવામાં આવી રહ્યો છે, તે વચ્ચે ભાજપના આ દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા હોય પોતાને હોમ આઇસોલેટ કરી લીધા હોવાના અહેવાલના કારણે આગામી ચૂંટણી પ્રચારમાં પક્ષને તેની ખોટ જરૂરથી સાલવશે.