કોરોનાવાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સાથે ભારતની અર્થવ્યવસ્થા પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે સરકાર 'જાન ભી જહાં ભી' નીતિ પર કામ કરી રહી છે. નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે રાહુલ ગાંધીની વાતચીતમાં, બેનર્જીએ સૌથી મોટો ભાર એ વાત પર મુક્યો હતો કે સરકાર લોકોના હાથમાં પૈસા આપે. બેનર્જી માને છે કે લોકોની ખરીદ શક્તિ બની રહેવી જોઈએ અને તેમનો ભરોસો બની રહેવો જોઈએ કે જ્યારે લોકડાઉન ખુલશે તો તેમની પાસે પૈસા હશે. એટલા માટે કેન્દ્ર સરકારે વધુને વધુ લોકોને પૈસા આપે.
અભિજીત બેનર્જીએ આ દરમિયાન ઇંડોનેશિયાનું ઉદાહરણ આપ્યું
માંગને પુનર્જીવિત કરવી મહત્વપૂર્ણ છે
60 ટકા લોકોને વધુ આપવાથી કંઈ ખોટુ નહીં થઈ જાય
બેનર્જીએ હંગામી રેશનકાર્ડ બનાવવાનું સૂચન પણ કર્યુ
લોકોના હાથમાં પૈસા આપવા ઉપરાંત બેનર્જીએ હંગામી રેશનકાર્ડ બનાવવાનું સૂચન પણ કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરીયાતમંદો માટે અનાજની પૂરતી પ્રાપ્તિ થાય તે માટે કોઈ ઓળખ કર્યા વિના હંગામી રેશનકાર્ડની વ્યવસ્થા કરવી જોઈએ. જે પણ લોકોને આવે તેને રેશનકાર્ડ આપો ગરીબો સુધી પહોંચવાની ખૂબ જ જરૂર છે.
અર્થશાસ્ત્રી બેનર્જીએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) ના 'આધાર' આધારિત દાવાથી ગરીબો માટે ઘણી સમસ્યાઓ હલ કરી શક્યા હોત. ગરીબોનું મોટું જૂથ હજી પણ સિસ્ટમનો ભાગ નથી. દરેકને હંગામી રાશનકાર્ડ આપો. તેનો ઉપયોગ પૈસા, ઘઉં અને ચોખા આપવા માટે કરો.
બેનર્જીએ કહ્યું કે માંગને પુનર્જીવિત કરવી મહત્વપૂર્ણ છે, નીચા વર્ગના 60 ટકા લોકોને વધુ આપવાથી કંઈ ખોટુ નહીં થઈ જાય. ભારતને એક પ્રોત્સાહન પેકેજની જરૂર છે; આપણે હજી સુધી પૂરતું આર્થિક પેકેજ નથી આપ્યું. રાહુલ ગાંધીએ આ પહેલા આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે વાતચીત કરી હતી.
ચર્ચા દરમિયાન અભિજીત બેનર્જીએ આ દરમિયાન ઇંડોનેશિયાનું ઉદાહરણ આપ્યું. રાહુલ ગાંધીને અભિજીત બેનર્જીને કહ્યું આ સમયે ઇંડોનેશિયા લોકોને પૈસા આપી રહ્યું છે, આ બધુ કમ્યુનિટિ સ્તર પર નિર્ણય લેવાની પ્રક્રિયા હેઠળ થઇ રહ્યું છે.