વનરક્ષક પરીક્ષામાં ગેરરિતીના મામલે પોલીસ આજે સાંજે મીડિયા સમક્ષ મહત્વની જાહેરાત કરી શકે છે.
વનરક્ષક પરીક્ષામાં ગેરરિતીનો મામલો
પોલીસે ગઇકાલે એક શખ્સની કરી હતી અટકાયત
પોલીસ તપાસમાં હાથ લાગી મહત્વની કડી
પોલીસ બપોર બાદ મીડિયા સમક્ષ જાહેરાત કરે તેવી શક્યતા
ગઇ કાલે પોલીસ એક શખ્સની કરી હતી અટકાયત
રાજ્યમાં ગત 27ના રોજ લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજા દ્વારા રજુ કર્યા હતાં. જેમાં પાલિતાણાની યુવા કેરિયર એકેડમીના વોટ્સઅપ ગૃપમાં બપોરે 1.04 કલાકે પેપર શરૂ હતું એ દરમિયાન એકેડમીના સંચાલક મહેશ ચુડાસમા દ્વારા પેપરના ફોટા શેર કરવામાં આવ્યાં હતાં. જે બાદ પોલીસ દ્વારા ગઈ કાલે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ આજે પોલીસ તપાસમાં મહત્વની કડી હાથ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આજે બપોર બાદ પોલીસ મીડિયા સમક્ષ આ મામલે આજે કોઈ જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ભાવનગરથી જ પેપર વાયરલ થયું હોવાનો દાવો યુવરાજ સિંહ
મહત્વનું છે કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો હતો કે, વનરક્ષકનું પેપર ચાલુ પરીક્ષાના 1.04 મિનિટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જે ભાવનગરના પાલીતાણાની એક કોંચિંગ સંસ્થામાં વાયરલ કરાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, વૉટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયું હતું પણ તેને પેપરલીક ગણવું કે પછી ચીટિંગ ગણવું એ અમે જાહેર જનતા પર મૂકીએ છીએ.