બોલિવૂડની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર અને તનાઝ ઈરાની એ વાતને લઈને આશ્ચર્ય છે કે, આજે પણ લોકો પીરિયડ્સ વિશે વાત કરતા ખચકાય છે અને આ અંગેની તેમની જૂની વિચારસરણી હજી અકબંધ છે. આ બંને અભિનેત્રીઓએ આ અંગે ખુલીને વાત કરવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
ભૂમિ પેડનેકર અને તનાઝ ઈરાની પીરિયડ્સ અંગે કરી વાત
કહ્યું- આ અંગે લોકોની જૂની વિચારસરણી હજી અકબંધ છે
બંને અભિનેત્રીઓએ આ અંગે ખુલીને વાત કરવા કરી અપીલ
એક દિકરો અને દીકરીની માતા તનાઝ કહે છે, એક માતા તરીકે, હું માનું છું કે જ્યારે માસિક સ્રાવમાં સ્વચ્છતાની વાત આવે છે, ત્યારે માતા અને દીકરી વચ્ચેની વાતચીત વધુ ખુલીને થવી જોઈએ. મહિલાઓ આ વિષય પર વાત કરવામાં શરમાય છે અને ડરતી હોય છે. હું ઇચ્છું છું કે મારી દીકરી તેના મિત્રો પાસે જવાને બદલે આ વિશે મારી સાથે વાત કરે.
ભૂમિ આ વિશે કહે છે કે, પીરિયડ્સ દરમિયાન બાળકીઓને સ્કૂલે મોકવામાં પરિવારજનો ખચકાય છે અને ચિંતિત થઈ જાય છે. પીડિયડ્સ એક એવો મુદ્દો છે જેના પર લોકોની જૂની વિચારસરણી આજે પણ અકબંધ છે. મને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું કે દર વર્ષે માસિક સ્રાવ દરમિયાન પૂરતા શિક્ષણના અભાવને કારણે પાંચમાંથી એક છોકરી શાળા છોડી દેતી હોય છે.
ભૂમિ પેડનેકર એક વિશેષ અભિયાન સાથે જોડાયેલી છે
ભૂમિ વ્હિસ્પરની નવી ઝુંબેશ હેશટેગકિપગર્લ્સઈનસ્કૂલમાં જોડાઈ છે. આ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ પહેલ એવા સમયે શરૂ થઈ છે જ્યારે ભારતની યુવતીઓને યોગ્ય નોલેજ અને શિક્ષણથી સશક્ત બનાવવી આપણાં દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ એક દુર્લભ તક છે, જ્યાં આપણે સામૂહિક રીતે છોકરીઓના જીવનમાં પરિવર્તન લાવી શકીએ.
તમને જણાવી દઈએ કે, ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં માસિક સ્રાવને કારણે છોકરીઓ શાળાએ જવાનું બંધ કરી દે છે અને આ જ વિષય પર જાગૃતિ ફેલાવવાનું આ અભિયાનનું લક્ષ્ય છે.
જોડાઓ અમારા અભિયાનમાં
અમે પણ મહિલાઓના સન્માનમાં અને તેમની આ માસિક ધર્મ વિશેની ગેરમાન્યતાઓને લઈને થતી તકલીફોને દૂર કરવા અભિયાન ઉપાડ્યું છે. જેનું નામ છે લાલ 'લિ'શાન (#LaalNiShaan). આ અભિયાનનો અમારો મુખ્ય ઉદ્દેશ છે કે લોકો બહાર આવીને માસિક ધર્મ અને પીરિયડ્સ જેવી બાબતો પર ખુલીને વાત કરે. તેને આભડછેટ તરીકે ન જૂએ અને મહિલાઓનું અપમાન થતું બંધ કરે. જો તમે પણ સપોર્ટ કરો છો આ અભિયાનને તો જોડાઓ અમારી સાથે અને મોકલો તમારા વિચારો અમને વીડિયો કે આર્ટિકલ સ્વરૂપે...