ભાવનગર શહેરમાં મધ્યેના બોર તળાવમાં આજે વહેલી સવારે બે યુવાનોના મૃતદેહો તરતા હોવાની બાતમીના આધારે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંને મૃતદેહોને બહાર કાઢી પોલીસે પી.એમ. અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
વહેલી સવારે કોલેજના બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં અકસ્માતે પડી જતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થી પણ પાણીમાં તણાઇ જવાના કારણે બંનેના મોત નીપજ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સૂત્રોનુસાર શહેરના બોળતળાવમાં વહેલી સવારે બે યુવાનોના મૃતદેહો તરતા હોવાના સમાચાર મળતા પોલીસે ફાયર બ્રિગેડના ફાકલાને જાણ કરતા ફાયર ફાયટરોની મદદથી તેમના મૃતદેહો તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યુ કે શાળાઓ બંને વિદ્યાર્થીઓ વહેલી સવારે બોરતળાવ આવી ગયા હતા અને બે પૈકી એક વિદ્યાર્થી નદીના કિનારે બેઠો બેઠો સેલ્ફી લઇ રહ્યો હતો ત્યારે અકસ્માતે એનો પગ લપસી જતાં તે તળાવમાં ગરકાવ થયો હતો અને ડૂબવા લાગતા બીજા વિદ્યાર્થીએ પણ તેને બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે બે પૈકી એક પણ વિદ્યાર્થીને તરતા ન આવડતું હોવાથી બન્નેના ડૂબવાના કારણે મોત થયા હોવાનું જાણવા મળેલ છે.