દર ચોમાસે પુલ તુટી પડવા, ખાડા પડવા, પાણી ભરાઈ જવા જેવી સમસ્યાઓ આવે છે. તંત્ર દ્વારા ગમે તેટલા મોનસૂન પ્લાનિંગ છતાં કેમ આ રીતે વારંવાર સમારકામની જરૂર પડે છે. ભાવનગર-સોમનાથને જોડતો પુલ પણ ફરીથી જર્જરિત થયો છે.
ભાવનગર-સોમનાથને જોડતો પુલ થયો જર્જરિત
તળાજા નજીક શેત્રુંજી નદી પરનો પુલ ફરી થયો જર્જરિત
વરસાદ થતા શેત્રુંજી નદી પરના પુલમાં તિરાડો પડી
ભાવનગર-સોમનાથને જોડતો પુલ ફરી એક વખત જર્જરિત થયો છે. તળાજા પાસે શેત્રુંજી નદી પરનો પુલ ફરી જર્જરિત થતા ગ્રામજનોને પરેશાની થઈ રહી છે. વરસાદ થતા શેત્રુંજી નદી પરના પુલમાં તિરાડો પડી છે. તિરાડો પડતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથધરાઈ છે.
હાલમાં નદીના પટમાં ડાયવર્ઝન આપવાની કામગીરી હાથધરાઈ છે. નદીમાં કામ ચલાઉ રસ્તા બન્યા બાદ પુલ બંધ કરાશે. તંત્ર દ્વારા અંતરિયાળ ગામડાઓમાંથી ડાયવર્ઝન કાઢવામાં આવશે.
સળગતા સવાલ
સોમનાથને જોડતા બ્રિજનું કેમ બરોબર સમારકામ નથી કરાતું?
વારંવાર બ્રિજમાં કેમ તિરાડો પડી રહી છે?
કામચલાઉ કામ કર્યા બાદ બ્રિજમાં તિરાડો પડે છે?
પુલમાં તિરાડ પડ્યા બાદ દર વખતે સમારકામ કરવુ છે?
શેત્રુંજી નદીના પુલ પર જ કેમ તિરાડ પડે છે?
અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે?