સરકારી યોજનાનો લાભ જેને મળવો જોઈએ તેને મળતો નથી.અને ભ્રષ્ટાચારીઓ મલાઈ મારી જાય છે ભાવનગર જિલ્લામાં પણ આવું જ કાંઈક સામે આવ્યું છે.. જ્યાં તળાવો ઊંડા કરતા જે માટી ગ્રામજનોને મળવી જોઈએ. તે માટી બહાર પૈસાથી વેચાઈ જાય છે. અને કોન્ટ્રાક્ટરો ડબલ કમાણી કરી ભ્રષ્ટાચાર કરે છે.
શું છે સમગ્ર મામલો?
આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે ભાવનગર જિલ્લામાં 125 તળાવો બનાવવા અને ઊંડા કરવાની કામગીરી તો પુરજોશમાં ચાલી રહી છે.પરંતુ સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું ભાલ પંથકના માઢીયા ગામેથી સામે આવ્યું છે.જ્યાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડુ કરવામાં આવી રહ્યાં છે.. જ્યારે તેની માટી ગામલોકોને આપવાની જગ્યાએ પૈસા લઈને બહાર વેંચી દેવામાં આવી રહી છે.
ગામ લોકોને ફ્રીમાં માટી નથી મળતી
માઢીયા ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જ 3 તળાવોનું કામ ચાલી રહ્યું છે. પરંતુ જ્યારે માટી અંગે ગામ લોકોએ પુછ્યું તો પંચાયત અને કોન્ટ્રાક્ટરોએ સ્વખર્ચે તળાવ ઊંડા કરતા હોવાનું બહાનું બતાવ્યું.જ્યારે ગ્રામ પંચાયતના લેટર પ્રમાણે, આ તળાવ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઊંડુ થઈ રહ્યું છે. અને તેની માટી પર માત્ર ગામ લોકોનો જ અધિકાર છે.જોકે માત્ર એક ગામમાં જ નહીં પરંતુ ભાલ પંથકના અનેક ગામડાઓમાંથી આ પ્રકારના આક્ષેપો ઊઠી રહ્યા છે.
કોન્ટ્રાક્ટરો ડબલ કમાણી કરી ભ્રષ્ટાચાર કરે છે
અહીં ખુદ અધિકારી કહે છે કે, અનેક ગામડાઓમાંથી ફરિયાદો મેળી રહી છે.. અને આ અંગે અમે તપાસ કરાવી શું... પરંતુ સવાલ અહીં એ થાય છે કે, તંત્ર કામગીરી પુરી થઈ ગયા પછી તપાસ કરાવશે કે, પહેલા? ફરિયાદો મળી રહી છે તો તાત્કાલીક કેમ તેનું નિવારણ નથી આવતું? કેમ તળાવની આસપાસના ગામડાઓને માટી મફતમાં નથી મળતી? તળાવોની માટી કોને વેચી દેવામાં આવી રહી છે? સવાલો અનેક છે.. ત્યારે જોવાનું એ રહેશે કે, એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ વીટીવીના અહેવાલ બાદ પણ જાગે છે.કે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચારને ધમધમવા દે છે