અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. આ આખા મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા વિશેષ રૂપથી કરવામાં આવે છે. અધિક માસ 13 જૂન સુધી ચાલશે. ભગવાન શ્રીકૃષ્ણ કાયમ પોતાના ગળામાં એક ખાસ માળા ધારણ કરે છે. આ છે વૈજયંતી માળા. શાસ્ત્રો અનુસાર શ્રીકૃષ્ણને 6 વસ્તુઓ વિશેષ પ્રિય છે. આ વસ્તુઓ છે ગાય વાંસળી મોરપંખ માખણ શાકર અને વૈજયંતી માળા. જો તમે 13 જૂન પહેલા વૈજયંતી માળા ધારણ કરો છો તો તમારી અનેક પરેશાનીઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે છે.
વૈજયંતી છોડ સાથે જોડાયેલી ખાસ વાતો:
- વૈજયંતી એક છોડનું નામ છે. તેના પાન થોડા લાંબા હોય છે. પહોળાઈ ઓછી હોય છે. તેમાં ડાળખીઓ નથી હોતી.
-વૈજયંતીમાં લાગતા ફૂલ લાલ અથવા પીળા રંગના હોય છે. આ ફૂલ ઝૂમખાંમાં લાગેલા હોય છે ફૂલોની સાથે નાના-નાના ગોળ દાણાં પણ હોય છે જે થોડા કઠોર હોય છે.
- આ કઠોર દાણાંમાં કાણું પાડીને માળા બનાવવામાં આવે છે. આ માળાને ગળામાં ધારણ કરવામાં આવે છે. આ માળા કોઈ પણ પૂજન સામગ્રીની દુકાનથી ખરીદી શકાય છે.
માળામાંથી મળે છે અનેક લાભ:
- માન્યતા છે કે જે કોઇ વ્યકિત વૈજયંતીની માળા ધારણ કરે છે તે સુખ-સમુદ્ઘિ અને ધન-સંપત્તિ પ્રાપ્ત કરે છે.
- વૈજયંતી માળાને કોઇ પણ સોમવાર અને શુક્રવારના પહેરી શકાય છે. ધારણ કરતા પહેલા ગંગાજળ અથવા શુદ્ધ જળથી ધોઈ લેવી જોઈએ.
- જે લોકોમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે તે લોકોએ આ માળા ધારણ કરે તો તેમનો ખુદનું વિશ્વાસ વધવા લાગે છે.
- જો મનની અશાંતિ દૂર કરવા ઇચ્છો છો તો આ માળા પહેરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
- આ માળાની અસરથી વ્યક્તિ ખરાબ નજરથી બચે છે અને નકારાત્મકતાથી પણ રક્ષા થાય છે.