જો તમે તેલમાં બનેલા પરાઠા અને રોટલી ખાતા હોવ તો અત્યારે જ ચેતી જજો. પરાઠા બનાવતી વખતે તેલનો ઉપગોય કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, તેના બદલે ઘીનો ઉપયોગ કરો જે તમારા શરીર અને સ્વસ્થ્ય બંને માટે ફાયદાકારક રહેશે. રોટલીમાં દેશી ઘી લગાવવાથી ગજબના ફાયદા થાય છે. જો તમને લાગતુ હોય કે ઘી ખાવાથી વજન વધી જશે અથવા તો કોલેસ્ટ્રોલ વધશે તો તમે ખોટા છો. ઘી લગાવેલી રોટલી ખાવાથી ઘણી બિમારીઓથી દૂર રહેશો.
- ઘી લગાવેલી રોટલી ખાવાથી વજન પણ સરળતાથી ઊતરવા લાગશે. ડાયટિશયન પણ રોટલીમાં ઘી લગાવીને ખાવાની સલાહ આપે છે. ઘી જ્યારે રોટલી સાથે ભળે છે ત્યારે તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ઓછુ થઇ જાય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે. રોટલી અને ઘી સાથે ખાવાથી બીજા ઘણા ફાયદા થાય છે.
- જો તમારૂં વજન વધારે છે અને તેને તમે ઓછું કરવા માગો છો તો રોટલીમાં ઘી લગાવીને ખાવાથી ફાયદો થશે, કારણ કે ઘીમાં સીએલએ હોય છે અને તે મેટાબોલિઝમને એક્ટિવ રાખે છે. જેનાથી તમારું વજન પણ ઉતરવા લાગશે.
- સીએલએ ઈન્સુલિનની માત્રાને ઓછી રાખે છે. એટલું જ નહીં રોટલી સાથે ઘી ખાવાથી ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પણ ઓછો થાય છે જેનાથી તે લોહીમાં વધતી જતી શુગરની માત્રાને ઓછી કરે છે અને પેટ ભરેલું લાગે છે. આ બંને વસ્તુ ડાયાબિટીઝના દર્દીઓ માટે જરૂરી છે.
- હૃદય માટે પણ ઘી લગાવેલી રોટલી ખાવાથી ફાયદો થાય છે. ઘી લગાવેલી રોટલી ખાવાથી તે હૃદયમાં થનારા બ્લોકેજને રોકે છે. રોટલી-ઘી લ્યૂબ્રિકેન્ટ્સની જેમ હાર્ટ અને બ્લડ વેસલ્સના કામને યથાવત્ રાખે છે. જેનાથી હૃદયને લગતી બિમારી થતી નથી.
- ઘીથી બ્લડ અને આંતરડામાં રહેલું કોલેસ્ટ્રોલ ઘટે છે કારણ કે તેનાથી બાઇલરી લિપિડનો સ્ત્રાવ વધે છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
- ઘી અને રોટલી ખાવાથી બ્લડ સેલમાં જમા થયેલા કેલ્શિયમને હટાવવામા મદદ મળે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- ઘી ખાવાથી ફાયદા થાય છે તેના વિશે તો તમે જાણો જ છો પરંતુ વધારે માત્રામાં ઘી ખાવાથી નુકસાન થાય છે. ખાસ એ વાતનું ધ્યાન રાખો કે રોજ એક ચમચી કરતા વધારે માત્રામાં ઘી ખાવું જોઇએ નહીં.