રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટને લઇને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ કરવામાં આવી હતી. જો કે હાલમાં મહા વાવાઝોડું સંકટ ટળી ગયા બાદ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ થઇ છે. આમ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક શરૂ થઇ છે.
આજથી રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડ શરૂ
મહા વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ ખરીદી શરૂ થશે
બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક શરૂ
બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ કરાઇ
રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયા બાદ ખરીદી શરૂ થઇ છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક શરૂ થઇ છે. જો એક અંદાજ મુજબ યાર્ડમાં પુષ્કળ મગફળીની આવકની શક્યતા છે.
મગફળીના ભાવમાં થઇ શકે છે ફેરફાર
રાજકોટ ખાતે બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક શરૂ થયા બાદ ખરીદીની ફરી શરૂઆત કરવામાં આવી છે. જો કે યાર્ડમાં મબલખ આવકની શક્યતા વચ્ચે મગફળીની આવક વધે તો ભાવમાં ફેરફાર થાયતેવી શક્યતા છે.
બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક આજે 50 હજાર ગુણી સુધી પહોંચે તેવી શક્યતા છે. જો કે ગઇકાલે કપાસમાં રૂ. 150થી 200નો ઘટાડો થયો હતો.
મહા વાવાઝોડાના સંકટને લઇને માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું
મહાવાવાઝોડાના સંકટને લઇને માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇને મગફળી અને કપાસની આવક બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આમ મહા વાવાઝોડામાં મગફળી અને કપાસનો પાક પલળી જવાની ભીતી હતી જેના કારણે મગફળી અને કપાસની આવક બંધ કરાઇ હતી.