શુભમ ગુપ્તા મૂળ જયપુરના આ યુવાને બૂટ ચપ્પલ વેચતાં વેચતાં IAS ઓફિસર બન્યા છે. તેમણે એક ઈંટરવ્યુમાં જણાવ્યું હતું કે હું જયપુરના એક મિડલ ક્લાસ પરિવારમાંથી છું. પિતાને નાની એવી દુકાન છે. જ્યાં હું પિતા સાથે દુકાને બેસતો હતો. ત્યારે પપ્પાએ મને કહ્યું કે બેટા કલેક્ટર બની જા, ત્યારથી જ મારી યુપીએસસી ની તૈયારીની શરૂઆત થઈ ગઈ હતી. આ છોકરો દરેક માટે પ્રેરણાદાયી છે.
બૂટ-ચપ્પલની દુકાન પર બેસીને IAS બનવાની તૈયારી કરનાર આ છોકરો દરેક માટે પ્રેરણાદાયી છે. જો વ્યક્તિ ધારે તો તે કંઈ પણ કરી શકે. આ છોકરો 2018નો ટોપર શુભમ ગુપ્તા છે. શુભમ ગુપ્તા IAS વિષે કંઈ જાણતો પણ ન હતો. પરંતુ એક દિવસ તેમના પિતાએ કહ્યું કે બેટા કલેકટર બની જા. અને શુભમે મનોમન નક્કી કરી લીધું કે મારે કલેક્ટર બનવું છે. તમામ મુશ્કેલીઓ બાદ શુભમ કલેક્ટર બની ગયા.
શુભમ ગુપ્તાએ એક ઈંટરવ્યુંમાં જણાવ્યું હતું કે હું જયપુરના એક મિડલ ક્લાસ પરિવારમાંથી છું. પિતાને નાની એવી દુકાન છે. જ્યાં હું પિતા સાથે દુકાને બેસતો હતો. ત્યારે પપ્પાએ મને કહ્યું કે બેટા કલેક્ટર બની જા, ત્યારથી જ મારી યુપીએસસી ની તૈયારીની શરૂઆત થઈ ગઈ હતી.
તે જણાવે છે કે બાળપણથી જ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. માટે તે જયપુર છોડી મહારાષ્ટ્રના એક નાનકડાં ગામમાં વસવાટ કરવા ચાલ્યાં ગયા હતા. ત્યાં પિતાએ બુટ-ચપલની નાની દુકાન કરી. અમારા ગામની આસપાસ હિન્દી મીડીયમ કે અંગ્રેજી મીડીયમ સ્કુલ ન હતી. જેથી મરાઠીમાં અભ્યાસ કરવો પડે તેમ હતો. પરંતુ શુભમ મરાઠી શક્ય ન હતું. તેમના ગામથી નજીક ગુજરાતનો એક વિસ્તાર આવતો હતો જેમાં બંને ભાઈ-બહેને એડમીશન લીધું. સ્કુલ ઘરથી 80 કિલોમીટર દૂર હતી. તો સવારે 6 વાગ્યે ટ્રેનમાં જતાં અને બપોરે 4 વાગ્યે ઘરે પહોચતાં હતા. જેથી તેમને સ્કુલ દરમિયાન સંઘર્ષનો ખુબ સામનો કરવો પડતો હતો.
તે દરમિયાન તેમના પિતાએ નક્કી કર્યું કે ધંધાને વિસ્તૃત કરવો પડશે નહીં તો એક દુકાનથી ઘર ખર્ચ નહીં નીકળે. આ માટે તેમણે નજીકના જ વિસ્તારમાં બીજી એક દુકાન શરુ કરી અને શુભમને તે દુકાન જવાબદારી સોપાઈ અને શુભમે ભણતાં ભણતાં આ જવાબદારી સંભાળી હતી.
ત્યાં તેમણે ભણતાં ભણતાં 10માં ધોરણને પૂર્ણ કર્યું અને 10માં નું રીઝલ્ટ આવ્યું અને તે જીલ્લામાં પ્રથમ કર્માંકે આવ્યો. ત્યારબાદ લોકો તેમને સલાહ આપતાં કે તેમને સાયન્સ લેવું જોઈએ પણ શુભમને કોમર્સમાં રસ હતો. માટે તેમણે કોમર્સ લીધું.
શુભમે કહ્યું કે યુપીએસસીની તૈયારી કરતાં લોકોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાની ક્ષમતા મુજબ વિષય પસંદ કરો. તમને લોકો સૂચનો આપશે પણ તમે તમારી યોગ્યતા પ્રમાણે વિષય પસંદ કરો.
12 પૂર્ણ કર્યા બાદ શુભમે દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી બી.કોમ કર્યું અને ત્યારબાદ તેમણે એમ.કોમ કર્યું આ દરમિયાન તેમની યુપીએસસીની સફર 2015માં શરુ થઈ હતી. ભણતાં ભણતાં જ તેમણે પ્રથમ વખત પ્રીલિમ્સ દીધી હતી અને નાપાસ થયા હતાં.
શુભમ કહે છે કે આ નાપાસ થવા પાછળ મારી અંદરની ગંભીરતા ઓછી હતી અને ટાઈમ મેનેજમેન્ટ ન હોવાને કારણે આ બન્યું હતું. તે માટે તેમાંથી તેમણે પ્રેરણા લઈ ટાઈમ મેનેજમેન્ટ બનાવ્યું અને દરેક વિષયને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ફરી એક વખત પરીક્ષા આપી અને 2016માં ઓલ ઇન્ડીયામાં 366મો રેન્ક મળ્યો. ત્યારબાદ તેમની સરકારી નોકરી લાગી ગઈ અને તે દરમિયાન પણ તેમણે પોતાની તૈયારી શરુ રાખી અને વર્ષ 2018માં તેમનો સમગ્ર ભારતમાં યુપીએસસીમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત થઈ IAS બન્યો.