બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / આરોગ્ય / Be aware of regular consumption of Ayurvedic decoction Be careful if this symptom appears even by mistake
Megha
Last Updated: 04:36 PM, 13 May 2023
કોરોનાના કેસ ફરી ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે એક સમયે ખતરનાક ગણાતા કોરોના વાઈરસ સંક્રમણથી બચવા માટે આરોગ્ય નિષ્ણાતો ફરી એક વખત ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે. એવામાં ઇમ્યુનિટી બૂસ્ટર ગણાતા ઉકાળા પણ ચર્ચામાં છે. કોરોનાકાળ વખતે આ ઘાતક વાઇરસથી બચવા આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી હતી પણ તમે એ તથ્ય સમજી લો કે કોઇ પણ આયુર્વેદિક ઔષધી હંમેશાં હવામાન, પ્રકૃતિ, ઉંમર અને સ્થિતિ જોઇ આપવામાં આવે છે. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે. જાણો આ ઉકાળાની અતિશયોક્તિથી થતા ગેરલાભ વિશે.
જો ઉકાળાનું નિયમિત સેવન કર્યા પછી તમારા શરીરમાં કેટલાંક ખાસ લક્ષણો દેખાય છે તો તરત જ તમારે આ ઉકાળાનું સેવન બંધ કરી દેવું જોઇએ, જેમ કે નાકમાંથી લોહી નીકળવું, મોંમાં ચાંદાં પડવાં, પેટમાં અને પેશાબમાં બળતરા થવી, અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળાનું સેવન તરત જ બંધ કરી દેવું જોઇએ. ખાસ કરીને કાળઝાળ ગરમીમાં આવા ઉકાળાનો પ્રયોગ સાવ બંધ કરી દેવો જોઈએ તેવું નિષ્ણાતો ભારપૂર્વક જણાવે છે.
આયુર્વેદિક ઉકાળો ક્યારે નુકસાન પહોંચાડે?
હકીકતે ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળામાં સામાન્ય રીતે કાળાં મરી, સૂંઠ, લીંડી પીપર, તજ, હળદર, ગિલોય, અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓની તાસીર ખૂબ જ ગરમ હોય છે. જો કોઇ વ્યક્તિ આ વસ્તુઓનું સેવન બેહિસાબ રીતે કરે તો તેના શરીરમાં ગરમી વધી શકે છે
વાત અને પિત્ત દોષ ધરાવતા લોકોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
ઉકાળાના સેવનથી કફ બરાબર થઈ જાય છે એટલે કફ દોષથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે પણ વાત કે પિત્તથી પ્રભાવિત લોકોએ આયુર્વેદિક ઉકાળો પીતી વખતે વધારે સાવચેતી રાખવી પડશે. ધ્યાન રાખવું કે ગરમ તાસીરવાળી વસ્તુઓ ઉકાળામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખવી. આ સિવાય ઠંડી તાસીરની વસ્તુઓ નાખવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army