બીસીસીઆઈએ શનિવારે ભારતના બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બૂમરાહ, ઑલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મહિલા ટીમના સ્પિનર પૂનમ યાદવને અર્જુન એવોર્ડ માટે ભલામણ કરી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સંચાલક સમિતિની બેઠક દરમિયાન રાજધાની દિલ્હીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 25 વર્ષીય બૂમરાહ મુંબઇ ઇન્ડિયન્સ માટે હાલ તેઓ આઇપીએલમાં રમી રહ્યા છે. તે આગામી સમયમાં યુકેમાં યોજાનાર વિશ્વ કપમાં ભારતનું નેતૃત્વ કરનાર છે.
Board of Control for Cricket in India (BCCI) has recommended Poonam Yadav, Mohammed Shami, Jasprit Bumrah and Ravindra Jadeja for Arjuna Award. pic.twitter.com/7I3osdqy0M
મહાપ્રબંધક (ક્રિકેટ ઓપરેશન્સ) સબા કરીમે ત્રણ સભ્યોના સીઓએ-વિનોદ રાય, ડાયના એડુલજી અને લેફ્ટનન્ટ જનરલ રવિ થોગડે સામે ખેલાડીઓના નામ સૂચવ્યાં હતાં. આ બેઠકમાં અર્જુન એવોર્ડ નોમિનેશન માટે ખેલાડીઓની પસંદગી કરવા ઉપરાંત, મહિલા ટીમના મુખ્ય કોચની નિમણૂંક અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી અને આ મુદ્દો લોકપાલને મોકલ્યો હતો.
#Gujarat ના બે ખેલાડી અર્જૂન એવોર્ડ માટે નોમિનેટ થયા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને મળશે અર્જૂન એવોર્ડ
મોહમ્મદ શમી અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવને પણ નોમિનેટ કરાયા
ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ થયા નોમિનેટ કરાયા
રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ખુશીનો માહોલ pic.twitter.com/R7xwu5IGBo
ઉલ્લેખનીય છે કે, રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીને રમત-ગમત મંત્રાલય દ્વારા અર્જૂન પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2018માં પ્રથમ વખત ભારતીય મહિલા ટીમની બેટ્સમેન સ્મૃતિ મંધનાને આ પુરસ્કાર આપવામાં આવેલ. આ પહેલા કુલ 53 ખેલાડીઓને અત્યાર સુધીમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.