રાજધાની ઢાકામાં રવિવારે થયેલા એક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે.
વિસ્ફોટ ઢાકાના મોઘબજારના વિસ્તારમાં સાંજે 1 બિલ્ડિંગમાં થયો
ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા
વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 બિલ્ડીંગને નુકસાન થયું
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રવિવારે થયેલા એક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને અનેક વ્યક્તિ ઘાયલ થયા છે. જો કે વિસ્ફોટથી વાહન અને આસપાસની ઈમારતોને નુકસાન પહોંચ્યુ છે. પરંતુ અધિકારીઓ વિસ્ફોટના પ્રકારને શોધી શક્યા નથી. પોલીસ અને ફાયર વિભાગે આ અંગે જાણકારી આપી છે.
વિસ્ફોટ ઢાકાના મોઘબજારના વિસ્તારમાં સાંજે 1 બિલ્ડિંગમાં થયો
ફાયર કન્ટ્રોલના અક અધિકારીએ ફૈસલુર રહેમાને જણાવ્યું કે વિસ્ફોટ ઢાકાના મોઘબજારના વિસ્તારમાં સાંજે 1 બિલ્ડિંગમાં થયો હતો. આ ઘટના બાદ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી. રહેમાને જણાવ્યું કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 બિલ્ડીંગને નુકસાન થયું છે.
ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા
ઢાકા મહાનગર પોલીસ આયુક્ત શફીકુલ ઈસ્લામે પત્રકારોને જણાવ્યું કે ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને જેમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોમ્બ સ્ક્વોર્ડ સ્થળ પર પહોંચી
ઢાકામાં પોલીસ ઉપાયુક્ત સજ્જદ હુસૈનને કહ્યું કે નિશ્ચિત રુપથી આ એક મોટો વિસ્ફોટ છે. ફાયર અને ઢાકા મહાનગર પોલીસની એન્ટી ટેરેરિસ્ટ ક્વોર્ડની બોમ્બ સ્ક્વોર્ડ સ્થળ પર પહોંચી છે. તેમના વિશેષજ્ઞ કામ કરી રહ્યા છે. તે વિસ્ફોટના કારણે અને તેનાથી થયેલા નુકસાનને શોધી રહ્યા છે.
નજરે જોનારા શું કહે છે
નજરે જોનારે જણાવ્યું કે રસ્તા પર કાચના ટુકડા અને કોંક્રીટના કાટમાળ દેખાઈ રહ્યો હતો. જે ઈમારતમાં વિસ્ફોટ થયો તેની બહાર ઉભેલી બે પ્રવાસી બસને ખરાબ રીતે નુકસાન થયું છે. ઢાકા સ્થિત એકાટ્ટોર ટીવી સ્ટેશને જણાવ્યું કે લગભગ 50 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાંથી 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.
સ્પષ્ટ ન કહી શકાય કે વિસ્ફોટનું કારણ શું હતુ
અત્યારે એ સ્પષ્ટ ન કહી શકાય કે વિસ્ફોટનું કારણ શું હતુ. પરંતુ જે મુખ્ય બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો ત્યાં ફાસ્ટ ફુડની દુકાનો હતી. પ્રાપ્ત સૂચના અનુસાર વિસ્ફોટનું કારણ ખરાબ ગેસ લાઈન અથવા દુકાનમાં ઉપયોગમાં લેવામાં આવનારા સિલેન્ડરથી થઈ શકે છે.