બનાસકાંઠાના સદારામ બાપાના પાર્થિવ દેહના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભક્તો મોટી સંખ્યામાં સદારામ બાપાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. સદારામ બાપાનો પાર્થિવ દેહ દર્શન માટે મુકવામાં આવ્યો છે. તો મહિલાઓ દ્વારા રામધૂન કરવામાં આવી રહી છે.
સદારામ બાપાનો જન્મ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામમાં થયો હતો. બાપાએ બાળપણથી જ ગૃહ ત્યાગ કર્યો હતો અને ટોટાણામાં એક આશ્રમ સ્થાપ્યો હતો. સદારામ બાપાએ વ્યસન મુક્તિ માટે અભિયાન પણ ચલાવ્યું હતું.
સાદગી ભર્યા જીવન માટે સદારામ બાપા જાણીતા હતા. જોકે હવે સદારામ બાપા આપણી વચ્ચે નથી રહ્યા. સદારામ બાપા લાંબા સમયથી બીમાર હતા અને ગઈકાલે તેમનું નિધન થયું છે.