વિમાનનો રેડિયો જામ થવાના કારણે કંટ્રોલ રૂમ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ વિંગ કમાન્ડર અમભિનંદન સુધી પહોંચી શક્યા નહતા. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ વાયુસેના ઉપપ્રમુખે કેન્દ્ર સરકારને એનો પૂરો રિપોર્ટ મોકલ્યો હતો અને સમગ્ર ઑપરેશનને વિસ્તારથી સમજાવ્યું હતું.
બાલાકોટ ઑપરેશન પર રક્ષા મંત્રાલયનો મોટો નિર્ણય
નવું સૉફ્ટવેર બનાવવા DRDOની મળી મંજૂરી
બાલાકોટ જેવી ભૂલથી બચલા માટે નિર્ણય
પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી, તો ત્યારબાદ પાકિસ્તાન તરફથી ભારતીય સીમામા વિમાન મોકલવામાં આવ્યા હતા. આ વિમાનોનો પીછો ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે ભારતનું એક વિમાન POK તરફ ચાલ્યુ ગયું. આ વિમાનમાં કમાન્ડર અભિનંદન વર્ધમાન હતા, જેમને બાદમાં પાકિસ્તાને ભારતને પાછા આપવા પડ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનના વિમાન મિગ 21 ની સાથે થયેલી આ ઘટના ત્યારે કંટ્રોલ રૂમ તરફથી મોકલવામાં આવી રહેલા રેડિયો સંદેશ વિમાન સુધી પહોંચી શક્યા નહતા.
વિમાનનો રેડિયો જામ થવાના કારણએ જ કંટ્રોલ રૂમ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ કિંગ કમાન્ડર અભિનંદન સુધી પહોંચી શક્યા નહતા. બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ વાયુસેના ઉપ પ્રમુખે કેન્દ્ર સરકારને એનો પૂરો રિપોર્ટ મોકલ્યો હતો અને સમગ્ર ઑપરેશનને વિસ્તારથી સમજાવ્યો હતો.
આ રિપોર્ટમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતુ, ત્યારે શું થયું હતું અને સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરીથી ના બને.
હવે કેન્દ્ર સરકારે આ મામલે મોટું પગલું ભર્યું છે, રક્ષા મંત્રાલય તરફથી એક પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે, જે હેઠળ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) એક એવું સૉફ્ટવેર બનાવવા પર કામ કરશે જે હેઠળ લડાકૂ વિમાનમાં બેઠેલા પાયલોટ અને ગ્રાઉન્ડ પર મોજૂદ કંટ્રોલ રૂમનો રેડિયો જામ થશે નહીં.
નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ જ્યારે પાકિસ્તાનથી આવેલા જેશ એ મોહમ્મદના આતંકીઓએ પુલવામામાં હુમલો કર્યો હતો તો CRPF ના 45 જવાન શહીદ થઇ ગયા હતા. એના જવાબમાં ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી અને જેશ એ મોહમ્મદના અડ્ડા પર બોમ્બ ફેંક્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાન તરફથી કેટલાક વિમાન ભારતમાં ઘૂસ્યા હતા, જેને ભારતીય વાયુસેનાએ પીછો કર્યો હતો. એ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F 16 વિમાનનો ઠાર કર્યો હતો પરંતુ બીજા વિમાનનો પીછો કરતાં અભિનંદન POK સુધી પહોંચી ગયા હતો અને એમનું વિમાન POKમાં પડ્યું. પાકિસ્તાની રેન્જર્સે લિંગ કમાન્ડર અભિનંદનને પકડી લીધા હતા, પરંતુ ભારતના કૂટનીતિક દબાણના કારણે પાકિસ્તાને 748 કલાકની અંદર વિંગ કમાન્ડરને પરત મોકલી દીધા હતા.