ઘણાં લોકોમાં કેટલીક એવી આદતો હોય છે અથવા તો તેઓ જાણતા અજાણતા એવા કામ કરે છે જેનાથી તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે અને તેના વિશે આ લોકો જાણ પણ હોતી નથી. જેમાં એક કામ છે. ભોજન કર્યા બાદ એવી વસ્તુઓનું સેવન કરવું, જે શરીર અને સ્વાસ્થ્યને સખત નુકસાન પહોંચાડે છે. ઘણીવાર આવી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે. એક કે બેવારમાં તેની અસર ભલે ન દેખાય પણ રૂટિન બનાવી લેવાથી તેની આડઅસર ભોગવવી પડે છે.
આવી ભૂલો બગાડે છે સ્વાસ્થ્ય
જમ્યા બાદ ન કરવા આ કામ
શરીરને રોગિષ્ઠ બનતા રોકવા આટલું ધ્યાન રાખો
ભોજન કર્યા બાદ ફ્રૂટ્સ ક્યારેય ન ખાવા
જો તમે એવું વિચારો છો કે ફ્રૂટ્સ હેલ્ધી હોવાથી ગમે તે સમયે ખાઈ શકાય તો ખોટું છે. ખાસ કરીને જમ્યા બાદ તરત ક્યારેય ફ્રૂટ્સ ન ખાવા જોઈએ. જો તમે ભોજનની સાથે ફળ ખાઓ છો તો તે ભોજનની સાથે જઠરમાં અટકી જાય છે અને યોગ્ય સમયે આંતરડામાં પહોંચતું નથી. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આના કારણે પેટમાં રહેલો ખોરાક દૂષિત થાય છે. આ જ કારણથી હમેશાં ભોજન કરવાના 1 કલાક પહેલાં અથવા 1 કલાક બાદ જ ફળ ખાવા જોઈએ.
ગેસ અને આંતરડામાં ઈન્ફેક્શન
સ્મોકિંગ અને તમાકુથી ગેસ્ટ્રિક અને એસિડિટીની સમસ્યા થાય છે. સાથે જ આગળ જતાં તે ગંભીર રોગનું પણ કારણ બને છે. આ સિવાય જે લોકો જમ્યા બાદ તરત સૂવા જતાં રહે છે એવા લોકોને ખોરાક પચાવવામાં તકલીફ થાય છે. જેના કારણે ગેસ અને આંતરડામાં ઈન્ફેક્શનની સમસ્યા થાય છે. સાથે જ જમ્યા બાદ ક્યારેય કંઈપણ ગળ્યું ખાવું નહીં, તેનાથી પણ સખત નુકસાન થાય છે.
સ્મોકિંગ અને તમાકુથી રહેવું દૂર
ઘણાં લોકોને જમીને તરત સ્મોકિંગ કરવાની આદત હોય છે. પણ આ આદત તેમના ડાઈજેશનને ખરાબ કરે છે. માત્ર સ્મોકિંગ જ નહીં પણ જમ્યા બાદ તમાકુ ખાવાથી પણ એટલી જ ખરાબ અસર થાય છે. સ્મોકિંગ અને તમાકુ જેવી વસ્તુઓનું સેવન કરવાથી અલ્સર અને કેન્સર જેવી ખતરનાક બીમારીઓ થવાનો ખતરો પણ વધી જાય છે.