બાબરી મસ્જિદ તોડી પાડવાના ષડયંત્ર મામલામાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યુ છે કે સીબીઆઇ જજ એસકે યાદવના કાર્યકાળને કેવી રીતે વધારવામાં આવી શકે છે? ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર સુધીમાં બતાવાનું છે કે તેને લઇને કઇ કાનૂની જોગવાઇ છે? સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે CBI જજ એસ કે યાદવ જ્યાં સુધી ચૂકાદો ન આપે, ત્યા સુધી તેમને રિટાયર ન કરવામાં આવે, આ માટે શું કરી શકાય છે?
CBI જજ એસ કે યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને મામલાની સુનાવણી પૂર્ણ કરવા માટે 6 મહીના સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એ ખૂબ જ જરૂરી છે કે CBI જજ એસ કે યાદવમામલાની સુનાવણી પૂર્ણ કરી ચૂકાદો આપે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે મામલાની સુનાવણી કરશે. કોર્ટે કહ્યું કે અમે અનુચ્છેદ 142 હેઠળ આદેશ જાહેર કરીશું કે તેમને 30 સપ્ટેમ્બરે રિટાયર કરવામાં ન આવે. CBI જજ એસ કે યાદવ 30 સપ્ટેમ્બરે રિટાયર થઇ રહ્યા છે.
બાબરી મસ્જિદ તોડી પાડવાના ષડયંત્રના ટ્રાયલ મામલામાં સીબાઇ જજની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલની સુનાવણી કરી રહેલા સીબીઆઇ જજ એસ કે યાદવને પૂછ્યૂ હતું કે તે કેવી રીતે ટ્રાયલને નક્કી સમયે પૂર્ણ કરી કરશે. કોર્ટે સીલ કવરમાં જાણકારી આપવા કહ્યું હતું. 19 એપ્રિલ 2017ના રોજ બે વર્ષમાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જજની અરજી પર અલાહાબાદ હાઇકોર્ટના રજીસ્ટ્રારને નોટિસ જાહેર કરી હતી.
અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાના ષડયંત્રના મામલાની સુનાવણી કરી રહેલા સીબીઆઇના એસ કે યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં હાઇકોર્ટે તેમના પ્રમોશન પર રોક લગાવવાનો મામલો ઉઠાવ્યો છે. તેમના પ્રમોશન પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.