બાબા વેેન્ગાએ વર્ષો પહેલા ભારતને લઇને એક ભવિષ્યવાણી કરી હતી. જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. તેમણે કહ્યું હતુ કે વર્ષ 2022માં ભારતમાં દુકાળ જેવી સ્થિતિ આવી શકે છે.
બાબા વેેન્ગાએ ભારતને લઇને કરી હતી એક ભવિષ્યવાણી
ભારત પર તીડના આતંકને લઇને કરી હતી ભવિષ્યવાણી
એશિયન દેશોમાં પૂરને લઇને કરી હતી ભવિષ્યવાણી
ફકીર બાબા વેન્ગાની ભવિષ્યવાણીએ લોકોની ચિંતા વધારી
બલ્ગેરિયાના ફકીર બાબા વેન્ગાની ભવિષ્યવાણી અવાર-નવાર ચર્ચામાં રહે છે અને ભારતને લઇને કરવામાં આવેલી તેમની એક ભવિષ્યવાણીએ લોકોની ચિંતા વધારી દીધી છે. બાબા વેેન્ગાની ભવિષ્યવાણી મુજબ, આ વર્ષે ભારતમાં એક ગંભીર સંકટ આવવાનુ છે, જેનાથી દેશમાં દુકાળ જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે બાબાએ વર્ષો પહેલા 2022 માટે ઘણી ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી 2 ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી થઇ છે.
આ વર્ષે ભારતમાં આવશે ભૂખમરો
રિપોર્ટ મુજબ, બાબા વેન્ગાએ ભારત પર તીડના આતંકને લઇને ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતુ કે તેનાથી ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. બાબા વેન્ગાએ જણાવ્યું હતુ કે વર્ષ 2022માં વિશ્વભરમાં તાપમાનમાં ઘટાડો થશે. જેનાથી તીડનો પ્રકોપ વધી જશે. તીડનો આ સમૂહ ભારત પર હુમલો કરશે અને પાકને બરબાદ કરી નાખશે. જેનાથી દેશમાં દુકાળની સ્થિતિ ઉભી થશે અને ભીષણ ભૂખમરાની સ્થિતિ આવી શકે છે.
બાબા વેન્ગાએ 2022 માટે કરી હતી છ ભવિષ્યવાણી
બાબા વેન્ગાએ વર્ષ 2022ને લઇને છ ભવિષ્યવાણી કરી હતી. જેમાં સાઈબેરિયામાંથી એક નવો ઘાતક વાયરસ સામે આવ્યાં સિવાય એલિયન હુમલા, તીડનુ આક્રમણ, અમુક દેશોમાં પૂર, અમુક દેશોમાં દુકાળ અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં વધારાની ભવિષ્યવાણી કરી હતી. બાબા વેન્ગાએ ઓસ્ટ્રેલિયા સિવાય અમુક એશિયન દેશોમાં પૂરને લઇને ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પડી છે. ઓસ્ટ્રેલિયામાં પૂર પરેશાની વધારી ચૂક્યુ છે. જ્યારે પાકિસ્તાનમાં પૂરથી સ્થિત સતત બગડી રહી છે. આ ઉપરાંત ઘણા શહેરોમાં પાણીની અછતની બાબા વેન્ગાની ભવિષ્યવાણી સાચી પડી છે. પુર્તગાલ સિવાય ઈટલીના ઘણા શહેર આ વર્ષે દુકાળની સમસ્યાથી ઝઝૂમી ચૂક્યા છે.