હિન્દુ ધર્મમાં નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવ દિવસ દરમ્યાન માં દુર્ગાની પોતાના ભક્તો પર ખાસ કૃપા હોય છે. આ જ કારણ છે કે આ ખાસ પ્રસંગે લોકો શુભ કામ કરવાનુ પસંદ કરે છે, પરંતુ શાસ્ત્રોના જાણકાર આ ખાસ દિવસમાં અમુક કામ કરવાની ના પાડે છે.
નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની કરાય છે પૂજા-અર્ચના
નવરાત્રિ દરમ્યાન આ કામ ભૂલથી પણ ન કરતા
નહીંતર માં દુર્ગા થશે કોપાયમાન
નવરાત્રિના નવ દિવસમાં આ કામ ન કરશો
નવરાત્રિની રાહ માં દુર્ગાના ભક્તો આખુ વર્ષ જોવે છે. આ નવ દિવસમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-આરાધના કરવામાં આવે છે. આખા દેશમાં માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ સાથે નવરાત્રિના પહેલા દિવસે કળશની પણ સ્થાપના કરવામાં આવે છે. દરેક જગ્યાએ એકથી વધીને એક સુંદર પંડાલ હોય છે. શાસ્ત્રોના જાણકાર એવુ પણ કહે છે કે અમુક એવા પણ કામ છે, જેને નવરાત્રિના આ નવ દિવસમાં કરવાની સ્પષ્ટ મનાઈ છે, નહીંતર માં દુર્ગા નારાજ થઇ શકે છે. આવો જાણીએ કે આ દિવસમાં એવા કયા કામ છે, જેને ભૂલથી પણ ન કરવા જોઈએ.
ઘરને એકલુ ના મુકશો
જો નવરાત્રિના દિવસમાં તમે માંની પૂજા કરો છો અને ઘરમાં કળશની સ્થાપના કરી છે તો ભૂલથી પણ ઘરને એકલુ ના મુકશો. આ સાથે શાસ્ત્રોના જાણકાર જણાવે છે કે જો તમે પોતાનુ વ્રત રાખ્યું છે તો દિવસમાં ઊંઘશો નહીં.
દીકરીઓને રાખો ખુશ
હિન્દુ ધર્મમાં કન્યાઓને માં દુર્ગાનુ સ્વરૂપ માનવામાં આવે છે. આ દરમ્યાન ભૂલથી પણ દીકરીઓનુ દિલ ના દુભાવવુ જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કન્યાના અપમાનથી માતા દુર્ગા નારાજ થઇ શકે છે.
લસણ, ડુંગળી અને માંસાહારથી રહો દૂર
નવરાત્રિના પાવન દિવસમાં સાત્વિક ભોજન કરવુ જોઈએ અને પોતાના વ્યવહાર અને વિચારમાં સાત્વિકતાને લાવવી જોઈએ. નવ દિવસ દરમ્યાન ડુંગળી, લસણ, માંસ અને દારૂ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. આ સાથે નવરાત્રિ દરમ્યાન દાઢી, નખ અને વાળ ન કપાવવા જોઈએ.