બર્ડ ફ્લૂએ દેશભરમાં બીજું સંકટ ઉભું કર્યું છે. દરમિયાન, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું છે કે ફ્લૂ પક્ષીઓથી માણસોમાં પણ ફેલાય છે. જોકે, ભારતમાં હજી સુધી આવા કોઈ કેસ નોંધાયા નથી.
બર્ડ ફ્લૂએ દેશભરમાં બીજું સંકટ ઉભું કર્યું
દેશના મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ જાહેર
કેન્દ્ર સરકારે શરૂ કર્યા કંટ્રોલ રૂમ
તેમણે વધુમાં કહ્યું, 'મનુષ્યમાં હજી સુધી ચેપના કોઈ કેસ નોંધાયા નથી. જો કે, દૂષિત મરઘાં ઉત્પાદનોનું સેવન કરનારા કોઈપણ વ્યક્તિ દ્વારા ચેપ ફેલાયો હોવાનું સાબિત કરવા માટે કોઈ સીધો પુરાવો નથી. તેનો કોઈ ઉપાય નથી, તેથી તમામ રાજ્યોને પક્ષીઓની હિલચાલ બંધ કરવા અને તેનો યોગ્ય રીતે નાશ કરવા સહિત તેને ફેલાતા અટકાવવા પગલાં ભરવા જણાવ્યું છે. '
દેશના મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ
અત્યાર સુધીમાં દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. આ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને કેરળ છે. કેન્દ્રીય પ્રધાનના જણાવ્યા અનુસાર હરિયાણામાં ફ્લૂ મરઘાં સુધી પહોંચ્યો છે, જ્યારે બર્ડ ફ્લૂ જંગલીથી અથવા અન્ય રાજ્યોમાં બીજે ક્યાંક પક્ષીઓમાં ફેલાયો છે.
દેશના વિવિધ રાજ્યોને એચ 5 એન 8 સ્ટ્રેન (બર્ડ ફ્લૂ) ને અંકુશમાં રાખવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને નમૂનાને પરીક્ષા માટે મોકલવામાં આવ્યો છે. કાગડા અને મરઘીના ઘણા રાજ્યોમાં મૃત્યુ થયાં છે, જ્યારે ઘણા રાજ્યોમાં તેમને મારવા પડ્યા છે.
બર્ડ ફ્લૂથી થતો મૃત્યુ દર 60 ટકા જેટલો
કોરોના કાળ વચ્ચે વધુ એક મુસીબતે દસ્તક દેતા ચિંતા વધી છે અને જેનું નામ છે બર્ડ ફ્લૂ. આ વાયરસ કોરોનાથી પણ ખતરનાક છે કારણ કે, તેનાથી સંક્રમિત થયાં લોકોમાં અડધો અડધ લોકો મોતને ભેટે છે. જ્યારે કોરોનાથી સંક્રમિત થતાં લોકોમાં મરનાર વર્ગની ટકાવારી 3 ટકા છે. માટે હવે આ મહામારીને કારણે દેશા મોટા ભાગના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉભા કરાયા કંટ્રોલ રૂમ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઇ ગઇ છે. એવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જેના મારફતે દેશમાં આવી રહેલા બર્ડ ફ્લૂના કેસને લઇને નજર રાખવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશમાં સૌથી વધુ કેસ
કોરોના સંકટ વચ્ચે દેશમાં બર્ડ ફ્લૂના વધુ કેસ નોંધાયે છે. સેંકડોની સંખ્યામાં અહીં પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને તેમનામાં બર્ડ ફ્લૂ વાયરલ જોવા મળ્યો છે. ત્યારે આ ઘટનાને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
CM chaired a high-level meeting to review the bird flu situation. Instructions to monitor the entire situation at a district level have been issued & random checks on birds at poultry farms across districts to detect virus will be conducted: Madhya Pradesh minister Vishvas Sarang https://t.co/p6dObvZ7Q0pic.twitter.com/T0Divbpd74
વર્ષ 2003 થી આજ સુધી, તે કેટલાક દેશમાં તેની અસર દર્શાવવાનું ચાલુ રાખ્યું છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસ એ બધા વાયરસમાં સૌથી ખતરનાક છે કારણ કે અડધાથી વધુ ચેપગ્રસ્ત લોકો તેના કારણે મૃત્યુ પામે છે. વર્ષ 2003 થી H5N1 બર્ડ ફ્લૂના વાયરસથી સંક્રમિત મનુષ્ય અને મૃત્યુ વિશે વાત કરવામાં આવે તો, કુલ 861 લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 455 માર્યા ગયા છે. એટલે કે, મૃત્યુ દર 52.8 ટકા છે.
2008માં વરસાવ્યો હતો કહેર
H5N1 બર્ડ ફ્લૂ વાયરસ 2008 માં ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને વિયેટનામમાં 11 વખત ચેપ ફેલાયો છે. વર્ષ 2006 થી, H5N1 બર્ડ ફ્લૂ વાયરસ ચેપ 65 વખત ફેલાવાના મામલા સામે આવ્યા હતા છે. H5N1 બર્ડ ફ્લૂ વાયરસની કેટલીક રસી પણ બનાવવામાં આવી છે, જે બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, કેનેડા જેવા દેશો દ્વારા સંગ્રહિત કરવામાં આવી છે.
દેશના 8 રાજ્યમાં બર્ડ ફ્લૂ ફેલાયો
દેશમાં વિવિધ રાજ્યમાં પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે બર્ડ ફ્લૂની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે સ્વાસ્થ્ય વિભાગો પણ અલર્ટ થઈ ગયા છે. તાજેતરમાં હિમાચલપ્રદેશના પોંગ ડેમમાં 1400થી વધુ પ્રવાસી પક્ષીના મૃત્યુ થયા હતા. કાંગડા જિલ્લા તંત્રએ પોંગ જળાશયમાં તમામ ગતિવિધિ પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો અને મૃત્યુનું કારણ શોધવા ભોપાલની લેબમાં સેમ્પલ મોકલી આપ્યા હતા. બીજી તરફ મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોલેજ પરિસરમાં 100થી વદુ કાગડાના મૃત્યુ થયા હતા. જેમાં તપાસ દરમિયાન 2 કાગડામાં H5N8વાયરસ મળ્યો હતો. આ તરફ રાજસ્થાનમાં પણ જયપુર સહિત 7 જિલ્લામાં 135 કાગડાના મૃત્યુ થયા છે. જે બાદ ગેહલોત સરાકરે પક્ષીના મૃત્યુની તપાસ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.
માનવી માટે ખતરનાક છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓમાં જ નહી પરંતુ પશુઓ અને માણસમાં પણ ફેલાય છે. બર્ડ ફ્લૂનો જો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.
બર્ડ ફ્લૂના શું છે લક્ષણો?
બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે. જો કોઇને આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેત થઇને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.
બર્ડ ફ્લૂથી કઇ રીતે બચી શકાય?
હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજ્યોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી.