આણંદમાં મોડી રીતે સીએનજી રીક્ષાનો ગોઝારો અકસ્માત થયો હતો. રીક્ષા કેનાલમાં ખાબકી હતી. હાલ રીક્ષામાં સવાર મુસાફરો અને રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ મૃતદેહ કે, કોઈ વ્યક્તિને શોધવામાં સફળતા નથી મળી.
ઉમરેઠના ભલીયાસર ગામ પાસે અકસ્માત, મોડી રાતે સીએનજી રીક્ષા કેનાલમાં ખાબકી
રીક્ષા ચાલક અને મુસાફરોની શોધખોળ ચાલુ
ફાયર અને સ્થાનિકો દ્વારા કેનાલમાં શોધખોળ ચાલુ
ઉમરેઠમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મુસાફરો ભરેલી સીએનજી રીક્ષા મોડી રાતે કેનાલમાં ખાબકી હતી.
મુસાફરોની જળસમાધી?
મુસાફરો અને રીક્ષા ડ્રાઈવર તમામ લોકો કેનાલના પાણીમાં ડુબી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે. રીક્ષાને બહાર કાઢવામાં આવી છે.
બચાવ કામગીરી શરૂ
બચાવ કામગીરી યુધ્ધના ધોરણે મોડી રાતથી જ શરૂ કરી દેવાઈ હતી પરંતુ હજુ સુધી કોઈ લાશ કે કોઈ વ્યક્તિ મળી આવી નથી. ફાયર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આસપાસના લોકોએ પણ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.