ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ ભલે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય પરંતુ લોકોના દિલમાં તેઓ હંમેશા જીવતા રહેશે. લોકો તેમને ખુબ જ પ્રેમ કરતા હતા કે મધ્ય પ્રદેશા ગ્વાલિયરમાં તેમનું એક મંદિર આવેલ છે.
આ મંદિરમાં રોજ ભક્તોની ભીડ જામેલી હોય છે. આ મંદિરમાં રોજ ભજન-આરતી સાથે પૂજા-અર્ચનાનું પણ ખાસ આયોજન કરવામાં આવે છે. આ મંદિરની દેખરેખ માટે એક પૂજારીને પણ નિયૂક્ત કરવામાં આવ્યા છે.
ગ્વાલિયર ખાતે આવેલ આ મંદિરમાં લોકો તેમની કવિતાઓની એવી રીતે કદર કરે છે કે જાણે તેમની કવિતાઓનો જાપ કરવામાં આવતો હોય.
જો કે આ મંદિરમાં તેમની કોઇ પ્રકારની મૂર્તિ મુકવામાં આવી નથી. માત્ર દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇની એક તસવીર લગાડવામાં આવેલ છે જેની રોજ ભક્તો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવે છે.
વર્ષ 2005માં સત્યાનારાયણની ટેકરી પર વાજપાઇના નામથી એક મંદિરનું નિ્ર્માણ કરવામાં આવ્યું હતું આ તે જ સ્થળ છે જ્યાં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજી પોતાની શાળા પૂર્ણ થયા બાદ વધારાનો સમય અહીં પસાર કરતા હતા. આ મંદિરનું નિર્માણ કાર્ય અધિવક્તા વિજય સિંહ ચૌહાણ અને દિવંગત વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના સમર્થકો દ્વારા કરવામાં આવેલ છે.
વિજય સિંહ ચૌહાણે પોતાના સંસ્મરણો વાગોળતા જણાવેલ કે પહેલા વાજપાઇજીના આ મંદિર માટે કોઇ તૈયાર નહોતું પરંતુ ત્યારબાદ જ્યારે મે કહ્યું કે હિંન્દી ભાષાને માત્ર આગળ ધપાવવા માટે આ કામ કરવાનું છે ત્યારે લોકો તૈયાર થયા હતા.
વિજય સિંહ જણાવ્યું કે હિંદી સાહિત્યમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અને કવિ હ્રદય અટલ બિહારી વાજપાઇનું ખાસ યોગદાન રહેલું છે. આ કારણે જ ગ્વાલિયરમાં તેમની યાદમાં એક મંદિરનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ આ સ્થળે અટલજીની એક પ્રતિમાં લાલ રંગના પત્થરમાંથી બનાવવામાં આવી રહી છે. જે આગામી 3 માસમાં સંપુર્ણ રીતે બની જશે. મૂર્તિ બની ગયા બાદ તેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ સાથે તેમની યાદમાં પુરસ્કારનું વિતરણ કરવાની યોજના પણ તેમના સમર્થકો બનાવી રહ્યા છે.