ભારતના અભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે, દેશભરમાં અટલજીના જન્મદિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે તેમનો ગુજરાત અને ખાસ કરીને રાજકોટ સાથેનો અનન્ય નાતો રહ્યો છે તેની યાદ તાજી રહી છે.
ભારતના અભૂતપૂર્વ વડાપ્રધાન અટલજીનો આજે જન્મદિવસ
ગુજરાત તથા રાજકોટ સાથે રહ્યો છે અનન્ય નાતો
અટલજી પ્રવાસ કરતા તે કાર આજે વાડીએ સાચવી છે
રાજકોટ માટે અટલજીને ખૂબ લાગણી હતી તેઓ જયારે રાજકોટ આવતા ત્યારે એવું કહેતા કે હું મારા ઘરે આવ્યો છું તેવું લાગે છે,જનસંઘ અને ત્યારબાદ ભાજપનો પાયો મજબૂત બનાવવામાં રાજકોટની અહં ભૂમિકા રહી છે. 1952 થી વાજપેયી રાજકોટ આવતા હતા તેઓ રાજકોટના નેતાઓ અને કેટલાક કાર્યકરોને નામથી ઓળખતા હતા, ચીમનભાઈ શુક્લ અને અરવિંદભાઈ મણિયારના પરિવાર સાથેની તેમનો નજીકનો નાતો હતો.
મધુબેનના હાથના રોટલા તેમને બહુ ભાવતા હતા
રાજકોટ જ્યારે અટલજી આવતા હતા ત્યારે તેઓ ચીમનભાઈ શુક્લ અથવા અરવિંદભાઈ મણિયારના ઘરે રોકાવાનું વધારે પસંદ હતા, લોધાવાડ ચોકમાં શુક્લ પરિવારનાં ઘરે તેઓ આવતા ત્યારે પરિવારમાં ઉત્સાહનો માહોલ જામતો હતો. સ્વ. ચીમનભાઈ શુક્લના પત્ની મધુબેનના હાથના રોટલા અટલજીને બહુ ભાવતા હતા. જયારે અટલજી આવતા હતા ત્યારે રોટલા, તાંદળજાની ભાજી અને ખીચડી બનતી હતી. એટલું જ નહીં જો અટલજી સર્કિટ હાઉસ જતાં તો તેમનું ટિફિન શુક્લ પરિવારના ઘરેથી જતું હતું તેવું આ પરિવારના સભ્યો ગૌરવથી કહી રહ્યા છે.
અટલજી પ્રવાસ કરતા તે કાર આજે વાડીએ સાચવી છે
અટલજીની યાદ રાજકોટ ના એક કાર્યકરે અનોખી રીતે સાચવી છે. લગભગ બે દાયકા પૂર્વે અટલજી રાજકોટ આવ્યા હતા ત્યારે તેઓ રાજકોટ ભાજપના આગેવાન કાર્યકર મુકેશ ડાંગરની કારમાં સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. મુકેશભાઈની એમ્બેસેડર કારમાં ચારેક વખત અટલજીએ પ્રવાસ કર્યો હતો. અટલજીની ખાસિયત હતી કે પ્રવાસમાં જ જ્યાં જવાનું હોય તેની માહિતી સ્થાનિક કાર્યકર પાસેથી મેળવી લેતા હતા. અટલજીનું અવસાન થયું ત્યાર બાદ મુકેશ ડાંગરે તેમની યાદ રૂપે જે કર્મ પ્રવાસ કર્યો હતો એ કાર સાચવી રાખી છે હવે આ કારનો ઉપયોગ કરતા નથી માત્ર અટલજીની યાદ રૂપે વાડીએ પાર્ક કરીને રાખી દીધી છે આ કાર અટલજીની યાદ હોવાથી તેઓ વેંચતા નથી
રાજતિલક કી કરો તૈયારી... સૂત્ર રાજકોટથી મળ્યું
1999માં રાજકોટના શાસ્ત્રી મેદાનમાં અટલજીએ વિરાટ ચૂંટણી સભા સંબોધી હતી એ સમયે કાર્યકરોએ ઉત્સાહ માં આવી ને અટલજી ને સાફો બાંધ્યો હતો અને બુલંદ નારો લગાવ્યો હતો કે રાજતિલક કી કરો તૈયારી આ રહે હે અટલ બિહારી...આસ સૂત્ર દેશભરમાં ક્લિક થયું હતું અને 1999 બાદ વાજપેયી વડાપ્રધાન બન્યા હતા. આમ રાજકોટ સાથે તેમની અનેક યાદો જોડાયેલી છે.