સામાન્ય રીતે દરેક હિંદુ ઘરમાં તુલસીના છોડ તો જોવા મળતો જ હોય છે. આયુર્વેદમાં તુલસીના ઘણા ચમત્કારિક ગુણો વિશે વર્ણન પણ કરવામાં આવ્યુ છે આ એકમાત્ર એવી ઔષધિ છે જેનાથી ગંભીરથી ગંભીર સમસ્યાઓનું નિરાકરણ આવી જાય છે. તો હિંદુ ધર્મગ્રંથોમાં પણ તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. અમે તમને જણાવી રહ્યા છીએ તુલસી સાથે જોયાડેલા સરળ ઉપાય વિશે જેનાથ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થશે.
રોજ સવારે તુલસીનું પૂજન કરવુ જોઇએ. જ્યાં રોજ તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સુખ-સમૃદ્ઘિ અને સૌભાગ્ય બની રહે છે અને ઘનની પણ ક્યારેય કમી આવતી નથી.
નજર ઉતારવા માટે 7 તુલસીના પાન અને 7 મરીને મુઠ્ઠીમાં લેઇ પીડિતાને સૂવડાવી બંધ મુઠ્ઠી તેના માથાથી પગ સુધી ભગવાનનુ નામ લઇ 21 વખત ફેરવ્યા પછી તેણે પાણીમાં પધરાવી દો.
ઘરના ફળિયામાં તુલસીનો છોડ વાવી ત્યાં રોજ સાંજે ઘીનો દીવો કરો જેનાથી ઘરમાં ક્લેશને અંશાતિ રહેતી નથી આ સાથે સાથે દેવી લક્ષ્મીજીની કૃપા પણ બની રહે છે.
તુલસીના પાનને પીસીને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવાથી શરીરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે સાથે જ કુંડળી પરના અશુભ પ્રભાવ પણ દૂર થઇ જાય છે.