ન્યૂ દિલ્હીઃ રાજસ્થાનનાં સુમેરપુરમાં રેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનાં ભાષણની શરૂઆત 'ભારત માતા કી જય'નાં નારા સાથે કરતા જનતાને પૂછ્યું કે આપને આ નારાથી તકલીફ તો નથી ને કેમ કે કોંગ્રેસનાં નામદારને આમાં તકલીફ લાગે છે.
તેઓએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે હિંદુસ્તાનનાં પુત્રોનાં મોંએથી 'ભારત માતા કી જય'નાં નારાને છીનવનાર તે લોકો કોણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓની સરકારે વર્ષોથી લંબિત વન રેંક વન પેન્શનની માંગને પૂર્ણ કરી.
કોંગ્રેસે તો બેંકોને બરબાદ કરી અને આજે આ નામદાર ખેડૂતોનાં નામે રેવડી વહેંચતા ફરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે 'રાજનીતિમાં લોકતંત્રમાં આપને પ્રજાની આંખોમાં ધૂળ નાખવાનો હક નથી. '
તમને જણાવ દઇએ કે રાજસ્થાનમાં નામાંકન બાદથી તેજ થયેલ ચૂંટણી પ્રચાર પર આજ સાંજનાં 5 વાગ્યેથી જ પ્રતિબંધ લાગી જશે. આ સાથે જ ચૂંટણી પાર્ટીઓની રેલીઓનો સિલસિલો પણ થમી જશે. જેનાં માટે ભાજપ પાર્ટીએ આજે પોતાની પૂર્ણ તાકાત રાજસ્થાનનાં રણમાં ઝીંકી દીધી છે.