આસામના નૌગાંવ જિલ્લાનો રહેવાસી 46 વર્ષના જાદવ ગોગોઈ કામની શોધખોળમાં ગુજરાત પહોંચ્યો હતો. ત્યાં તે ગુજરાતના ઔદ્યોગિક નગર વાપીમાં મજૂરીનું કામ કરતો હતો. જ્યારે 25 માર્ચથી લૉકડાઉન જાહેર થયું તો તેને પણ નોકરી પરથી છૂટો કરી દેવામાં આવ્યો. ત્યારે તેની પાસે ઘરે પરત ફરવા સિવાય કોઈ રસ્તો નહોતો રહ્યો.
લૉકડાઉનમાં 2800 કિમી દૂર 25 દિવસમાં પહોંચ્યો ઘરે
ગુજરાતથી અસમ સુધીની લાંબી સફર પાર કરી
રસ્તામાં લૂંટનો શિકાર પણ થયો
27 માર્ચે જાદવે વાપીથી પાયદળ ચાલવાનું શરૂ કર્યું. રસ્તામાં જો કોઈ તેને ઇમરજન્સીમાં ચાલી રહેલા વાહનમાં બેસાડી દે તો તે થોડા દૂર સુધી બેસી જતો. એવું કરતા કરતા જાદવ 25 દિવસમાં નગાંવ જિલ્લાના રાહા વિસ્તારમાં પોતાના ઘરની પાસે પહોંચી ગયો. તે રવિવાર રાત્રે અહીં પહોંચ્યો હતો.
જ્યારે જાદવે વાપીથી ચાલવાનું શરૂ કર્યું તો તેમના હાથમાં માત્ર 4 હજાર રૂપિયા હતા. ઘર પહોંચવા દરમિયાન ટ્રક વાળાઓની મદદ લીધી જે દેશમાં જરૂરી સામાનને પુરો પડવા માટે રોડ પર ચાલતા હતા. આ સફર દરમિયાન તેમના પૈસા, મોબાઈલ અને અન્ય સામાન પણ લૂંટી લેવામાં આવ્યો. જ્યારે તે રાહામાં પહોંચીને રોડના કાંઠે આરામ કરી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને ફોન કરીને બોલાવી.
ઘર માટે પગપાળા જ નિકળી પડ્યો
જાદવે જણાવ્યું કે, હું ગધારિયા કરૌની ગામનો રહેવાસી છું અને બિહાર, બંગાળથી થઇને અહીં પહોંચ્યો છું. ગુજરાતથી આસામમાં પોતાના ઘરે પરત આવવા માટે મેં પોલીસ અને સરકારી તંત્રની મદદ માંગી પરંતુ મને ના પાડી દેવામાં આવી. ત્યારે 27 માર્ચથી મેં વાપીથી પગપાળા ચાલવાનું શરૂ કર્યું.
જાદવે વધુમાં જણાવ્યું કે, લૉકડાઉનના કારણે પોતાના ઘર પરત આવવું મારી મજબૂરી બની ગઇ હતી. બિહારથી બંગાળ થઇને આસામના રાહા સુધી મેં પગપાળા રસ્તો કાપ્યો.
રાહાની સ્થાનિક પોલીસની મદદથી જાદવને નૌગાંમ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યો. તેની હાલત ઠીક છે પરંતુ તે બીજા રાજ્યથી આવ્યો છે એટલા માટે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે લૉકડાઉન દરમિયાન દેશમાં પરિવહનના સાધનો સામાન્ય લોકો માટે સમગ્ર રીતે બંધ છે. બીજા રાજ્યમાં કામ કરી રહેલા લોકો કામ બંધ થયું તો તેની પાસે પોતાના ઘરે જવા સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો. તેવામાં હાજરો કિલોમીટર પગપાળા ચાલીને લોકો પોતાના ઘરે પહોંચ્યા છે.