રાજસ્થાનમાં ગેહલોત અને પાયલટ વચ્ચેના ઉગ્ર વિવાદ બાદ કોંગ્રેસે માંડમાડ મામલો થાળે પાડ્યો હતો. લાંબી મથામણ બાદ ઘીના ઠામમાં ઘી પડ્યું હતું. જોકે, આ શાંત પડેલા અગ્નીની નીચેના ભાગમાં હજુ પણ લાવા ભભૂકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
આવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે, પૂર્વ નાયબમુખ્યમંત્રી સચીન પાયલટે અશોક ગેહલોતને પત્ર લખ્યો છે. પત્ર લખીને સચીન પાયલટે ચૂંટણી પહેલાનું વચન યાદ કરાવ્યું છે. તેમણે અતી પછાત વર્ગના લોકોને અનામત આપવાનું વચન યાદ અપાવ્યું છે.
5 ટકા MCB અનામત આપવાનું વચન આપ્યું હતું
કારણ કે, કોંગ્રેસે 5 ટકા MCB અનામત આપવાનું વચન આપ્યું હતું પરંતુ ગેહલોત સરકાર ચૂંટણી જિત્યા બાદ હજુ સુધી એ વચન પુરુ નથી કરી શકી. એટલે પાયટલે તેમના પત્રમાં લખ્યું કે, સરકારે જાહેર કરેલી ભરતીમાં અનામત નથી આપી.
ગેહલોત સરકારની મુશ્કેલી ફરી વધી શકે
પોલીસ ભરતી 2018 અને રીટ ભરતી 2018માં નથી આપી અનામત. તેમણે પત્રમાં ગુર્જર સમાજને અનામત અને અન્ય લાભોનો પણ ઉલ્લેખ કર્યો છે.. ત્યારે જો ગુર્જર અનામતનો મુદ્દો ફરીથી ઉછળે તો ગેહલોત સરકારની મુશ્કેલી ફરી વધી શકે તેમ છે.