ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પીએમ મોદીએ આજે ટીકા ઉત્સવની શરૂઆત કરાવી છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર
આજથી દેશમાં શરૂ થશે ટીકા ઉત્સવ
પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધી આપ્યું મોટું નિવેદન
11થી 14 એપ્રિલ સુધી દેશભરમાં ઉજવાશે `ટિકા ઉત્સવ'
કોરોના વાયરસના કેસમાં સતત વધારા વચ્ચે આજથી દેશમાં ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી રહી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં કેસ વધી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ અનુસાર દેશમાં ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટીકા ઉત્સવમાં વધારેમાં વધારે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે વેક્સિનની સપ્લાય પણ તેજ કરી દીધી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કર્યા આગ્રહ
आज से हम सभी, देशभर में टीका उत्सव की शुरुआत कर रहे हैं। कोरोना के खिलाफ लड़ाई के इस चरण में देशवासियों से मेरे चार आग्रह हैं… https://t.co/8zXZ0bqYgl
પીએમ મોદીએ ટીકા ઉત્સવ પહેલા કહ્યું કે આ ઉત્સવ એક પ્રકારે કોરોના સામે આપણી બીજી મોટી જંગની શરૂઆત છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે Personal Hygieneની સાથે સાથે Social Hygiene પર બળ આપવાનું છે.
પીએમ મોદીએ ભારતીયોને અપીલ કરતાં કહ્યું કે આપણે ચાર વાતો યાદ રાખવાની છે
1. જે લોકો ઓછા ભણેલા છે અથવા વૃદ્ધ છે અને પોતે ડોઝ લઈ શકે તેમ નથી, તેમની મદદ કરો.
2. જે લોકો પાસે એટલા સાધન નથી અને જાણકારી નથી તેમની કોરોનાની સારવારમાં મદદ કરો.
3. આપણે સ્વયં માસ્ક પહેરીએ અને ખુદને તથા બીજાને પણ બચાવીએ.
4. એમાં ચોથી મહત્વની વાત એ છે કે કોરોના વાયરસની સ્થિતિમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો જ કરે. જે જગ્યા પર કોરોના વાયરસ પોઝિટિવ કેસ આવે ત્યાં પરિવારના લોકો જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવે.
પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ પોઝિટિવ કેસ આવે ત્યારે આપણે સભાન રહેવાનું છે અને બાકીના લોકોની ટેસ્ટિંગ આવશ્યક છે. આ સાથે જ જે લોકો વેક્સિન માટે હકદાર છે તે બધાને વેક્સિન આપવા માટે સમાજ પણ પ્રયાર કરે છે તંત્ર પણ.