દિલ્હીમાં આમ આદમી પાર્ટી ત્રીજી વાર સરકાર બનાવવા જઇ રહી છે. અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત નોંધાવી છે. સમાચાર મળી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ 14 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી ત્રીજી વાર સરકાર બનાવવા જઇ રહી છે
આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીત નોંધાવી
અરવિંદ કેજરીવાલ 14 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદના શપથ લઇ શકે છે
1 અરવિંદ કેજરીવાલએ દિલ્હીની જનતાથી 24 કલાક વીજળી આપવાનં વચન કર્યું છે. જ્યારે 200 યુનિટ વીજળી પણ લોકોને મળતી રહેશે. હવે કેજરીવાલ સરકાર માટે દિલ્હીના વાયરોના ગુંચથી મુક્ત કરવી અને અંડરગ્રાઉન્ડ વીજળી પહોંચાડવી મોટો પડકાર રહેશે.
2 દિલ્હી ચૂંટણીથી પહેલા ગંદા પાણીનો મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો. કેજરીવાલે દરેક ઘરમાં 24 કલાક શુદ્ધ પીવાના પાણી પુરુ પાડવાની સુવિધા અને 20 હજાર મફત પાણી આપવાનું વચન કર્યું હતું.
3 શિક્ષણના મુદ્દાને ચૂંટણીમાં પ્રમુખતાથી ઉઠાવનારી આમ આદમી પાર્ટીએ તમામ બાળકને વિશ્વસ્તરીય શિક્ષણ આપવાની ગેરન્ટી આપી હતી.
4 સ્વાસ્થ્યનો મુદ્દો પણ આ ચૂંટણીમાં કેન્દ્રમાં રહ્યો, કેજરીવાલના વચન અનુસાર દરેક પરિવારને આધુનિક હોસ્પિટલો અને મોહલ્લા ક્લીનિક દ્વારા ઇલાજની યોગ્ય સુવિધા આપવામાં આવશે.
5 ફ્રી બસ યાત્રાને લઇને બીજેપીના નિશાને રહેલી આમ આદમી પાર્ટીએ મહિલાઓની સાથે વિદ્યાર્થીઓને પણ ફ્રી બસ યાત્રાની સુવિધા આપવાની વાત કહી હતી. ત્યારે કેજરીવાલને દિલ્હી વાસીઓને 11 હજારથી વધારે બસ અને 500 કિમીથી વધારે લાંબી મેટ્રો લાઇન પણ આપવી પડશે.
6 દિલ્હીમાં સૌથી મોટી સમસ્યા પ્રદૂષણની છે. આમ આદમી પાર્ટીએ પોતાના 10 વચનમાં વાયુ પ્રદુષણના સ્તરને ત્રણ ગણું ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. જાહેરાત પત્રનું માનીએ તો દિલ્હીમાં 2 કરોડથી વધારે ઝાડ લાગવીને ગ્રીન દિલ્હી બનાવશે. જ્યારે યમુનાને પણ સ્વચ્છ કરવામાં આવશે.
7 આમ આદમી પાર્ટીએ દિલ્હીને કચરો અને કચરાના ઢગલાથી મુક્ત કરવાનું પણ વચન આપ્યું હતું.
8 વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો. જેમા સીસીટીવી અને સ્ટ્રીટ લાઇટોને લઇને સવાલ ઉભા કર્યા હતા. દિલ્હી સરકારને સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ અને બસ માર્શલની સાથે-સાથે મોહલ્લા માર્શલ તહેનાત કરવાનું પણ વચન આપ્યું હતું.
9 દિલ્હીની કાચી કોલોનીના મુદ્દાને ભાજપે પ્રચારમાં ખુબ જ ચગાવ્યો. કેજરીવાલની ગેરન્ટી અનુસાર હવે આ કાચી કોલોનીઓમાં રોડ, પીવાનું પાણી, સીવર, મોહલ્લા ક્લીનિર અને સીસીટીવી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવાની રહેશે.
10 અરવિંદ કેજરીવાલે પોતાની ગેરન્ટીના મુજબ દિલ્હીના તમામ ઝૂંપડા વાસીઓને પાક્કુ મકાન પણ ઉપલબ્ધ કરાવવાનું રહેશે.