ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાય એ પહેલાં દરેક પક્ષો દ્વારા પોતપોતાની મેળે પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ વડોદરામાં વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
અરવિંદ કેજરીવાલે નિવેદન આપતા જણાવ્યું કે, 'આગામી ચૂંટણી ભાજપ અને AAP વચ્ચે લડાશે. ચૂંટણીમાં કોંગ્રેસ ત્રીજા નંબરે છે. સાથે ભાજપ-કોંગ્રેસની મિલીભગતની રાજનીતિ ખતમ થશે.'
આદિવાસી સમાજને લઇને કેજરીવાલે કરી 6 મોટી જાહેરાત
એ સિવાય અરવિંદ કેજરીવાલે આજે વડોદરામાં વધુ કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં આદિવાસી સમાજને તેઓએ તેમના હક અપાવવાની વાત કરી છે. તો બીજી બાજુ યુવાનોને પણ રોજગારીની ગેરંટી આપી છે. તો સાથે આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક સુવિધા અને મેડિકલ સુવિધા પૂરી પાડવાનો પણ વાયદો કર્યો છે. તેમજ પેપર લીકની ઘટનાઓ રોકવા કડક કાયદા લાવવાનો પણ કેજરીવાલે વાયદો કર્યો છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 7, 2022
જુઓ આદિવાસી સમાજને લઇને કેજરીવાલે શું જાહેરાત કરી?
પહેલી ગેરંટી એ કે આદિવાસીઓ માટે ફિફ્ટ શિડ્યુલ લાગુ કરીશું, પેસા કાયદો લાગુ કરીશું અને ટ્રાઇબલ એડ્વાઇઝરી કમિટીના ચેરમેન ટ્રાયબલ જ હશે.'
બીજી ગેરંટી એ કે આદિવાસી સમાજ આજે ખૂબ પછાત રહ્યો છે કારણ કે શિક્ષાનો અભાવ છે, ગરીબ લોકો છે તેઓ સરકારી સ્કૂલમાં પોતાના બાળકોને મોકલે છે પરંતુ સરકાર સ્કૂલો છે નહીં, છે તો તૂટલી હાલતમાં છે. અભ્યાસ પણ બરાબર નથી થતો. અમે દિલ્હીની અંદર શિક્ષાને શાનદાર બનાવી છે ત્યારે આજે હું આદિવાસી ભાઇઓ-બહેનોને આશ્વાસન આપું છું કે, જે રીતે દિલ્હીની સ્કૂલો અમે સારી બનાવી છે તે જ રીતે દરેક આદિવાસી ગામડાઓમાં અમે સારી સ્કૂલો ખોલીશું, જેથી બાળકોનું એક પેઢીની અંદર પછાતપણું અને ગરીબી પણ દૂર થશે.'
ત્રીજી ગેરંટી એ છે કે, તેમના મેડિકલ માટેની કોઇ સુવિધા નથી, તેમજ પ્રાઇવેટમાં ખર્ચો તોડી નાખે અને સરકારી દવાખાનાની અંદર કોઇ જ સુવિધા નથી. તો જે રીતે અમે દિલ્હીમાં મોહલ્લા ક્લિનીક ખોલ્યા છે એ રીતે દરેક ગામની અંદર અમે મોહલ્લા ક્લિનીક ખોલીશું કે જેમાં સંપૂર્ણ સારવાર ફ્રી હશે. આદિવાસી વિસ્તારની અંદર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલાશે.'