શિવસેનાના સામાયિક સામનામાં ફૈઝ અહમદ ફૈઝની પ્રશંસા કરવામાં આવી છે. શિવસેનાના સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે, ફૈઝ અહમદ પાકિસ્તાની શાસનના દુશ્મન સિદ્ધ થયા, પરંતુ ભારતમાં પણ બીજેપીએ તેમને દેશદ્રોહી ઠેરાવી દીધા. ફૈઝે જીવતે જીવ પાકિસ્તાની શાસનના સિંહાસનને ડગમગાવી દીધુ હતું, તેઓ ફાંસી ચઢતા બચ્યા હતા, ત્યારે ભારતમાં તેમની કવિતાઓની ટીકાઓ કરવાનો ધંધો ચાલી રહ્યો છે.
શિવસેનાના સામાયિક સામનામાં ફૈઝ અહમદ ફૈઝની પ્રશંસા કરવામાં આવી
શિવસેનાના સંપાદકીય લેખ: ભારતમાં બીજેપીએ તેમને દેશદ્રોહી ઠેરાવી દીધા
ફૈઝે જીવતે જીવ પાકિસ્તાની શાસનના સિંહાસનને ડગમગાવી દીધુ હતું
ફૈઝ જેવા કવિ સીમામાં નથી બંધાતા
સામનામાં લખવામાં આવ્યું છે કે, ફૈઝ જેવા કવિને દેશની સીમાઓ અને ધર્મના પ્રતિબંધોથી બાંધીને રાખી શકાય તેમ નથી. સામનાના સંપાદક સંજય રાઉતે લખ્યું છે કે, આઇઆઇટી કાનપુરમાં ફૈઝના ગીત ''હમ દેખેંગે''ની તપાસ કરવા માટે તપાસ સમિતિનું ગઠન કરવું મુર્ખામીભર્યું અને હાસ્યાસ્પદ છે. શિવસેનાએ કહ્યું છે કે, દેશનો એક વર્ગ અભિવ્યક્તિ પર રોક લગાવીને તાલિબાની સંસ્કૃતિના બીજ વાવી રહ્યા છે. આવા લોકોને ભાગવદગીતા પણ સમજમાં આવી નહોતી.
ફૈઝને મળીને રડી પડ્યા હતા અટલ બિહારી વાજપેયી
સંજય રાઉતે લખ્યું છે કે ફૈઝના ગીતનો અર્થ સમજવાને બદલે ભાજપના સમર્થક તેમનો વિરોધ કરી રહ્યા છે. એ ફૈઝ અહમદ જેમને મળીને એકવાર અટલ બિહારી વાજપેયીની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. સામનામાં આ ઘટનાક્રમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
સંજય રાઉતે કહ્યું છે કે આ બનાવ 1977-78નો છે. અટલ બિહારી વાજેપયી વિદેશ મંત્રી હતા. વાજપેયીજી પાકિસ્તાન પ્રવાસે ગયા હતા. તેઓને ઇસ્લામાબાદમાં ફૈઝને મળવાનું હતું. પરંતુ પાકિસ્તાન સરકાર અને ભારતના હાઇ કમિશન તેઓને એની મંજૂરી આપી રહ્યું નહોતું. છતા વાજેપયી પ્રોટોકૉલનું બંધન તોડીને તેમને મળવા ગયા. સંજય રાઉતે લખ્યું છે, ''વાજપેયી અને ફૈઝની વિચારધારા બે ધ્રુવીય હતી, તોપણ બંને મળ્યા, એકબીજાના ગળે મળ્યા...અટલે ફૈઝનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યું, હું માત્ર એક શૅર સાંભળવા માટે આપને મળવા માંગતો હતો. ફૈઝે પૂછ્યું, કયો શૅર.
અટલજીએ એ શૅર સંભળાવ્યો-
''જચા હી નહીં
જો-કૂ-એ-ચાર થી નિકલે...
તો સૂ-એ-દાર ચલે''
સંજય રાઉતે કહે છે કે અટલજીના મુખેથી પોતાના શૅર સાંભળીને ફૈઝ ભાવુક થઇ ગયા. તેઓએ આખી ગઝલ અટલજીને સંભળાવી. તેના બાદ અટલ બિહારી વાજપેયીએ તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. 1981માં ફૈઝ ભારત આવેલા ફૈઝની અટલજીએ મુલાકાત લીધી.
સંજય રાઉતે કહ્યું કે, 'લાજિમ હૈ...' પંક્તિ પર ભારતમાં ઘમાસાણ મચ્યુ છે તે ગઝલ ફૈઝે 1979માં લખી હતી. ફૈઝ ત્યારે પાકિસ્તાનના મોટો ગુમરી જેલમાં બંધ હતા. ફૈઝની વિરુદ્ધ જે આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું તેના મુજબ, એવુ લાગતું હતું કે ફૈઝને ફાંસીની સજા આપવામાં આવશે પરંતુ ફૈઝ પર આરોપ સિદ્ધ ન થયા અને તેઓ છુટી ગયા.
દીપિકાથી પણ સહાનુભૂતિ
શિવસેનાએ કહ્યું છે કે પાકિસ્તાનના શાસનકર્તાઓએ ફૈઝને જીવતે જીવ જેલમાં નાંખી દીધા. આપણા અહીં તેઓને કબરમાંથી નીકાળીને હિન્દૂ વિરોધી જાહેર કરી ફાંસી પર લટકાવાશે. સામનામાં સંપાદકીય લેખમાં અભિનેત્રી દીપિકા પાદુકોણનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સંજય રાઉતે લખ્યું છે કે, દીપિકાએ વિદ્યાર્થીઓ પ્રત્યે મૂક સંવેદના વ્યકત કરી, તેથી દીપિકા ભારતની દુશ્મન બનાવી દેવાઇ. ભવિષ્યમાં તેમનો રસ્તો સમસ્યાઓથી ભરી દેવાશે. તેમની જાહેરાતો પર રોક લગાવાઇ રહી છે.