કાશ્મીરના ચાલી રહેલા હલચલને જોતા ફરી એક વખત આર્ટિકલ 35A અને આર્ટિકલ 370ને લઇને ચર્ચા થઇ રહી છે.
આર્ટિકલ 35A હેઠળ જમ્મૂ-કાશ્મીર સરકારની પાસે રાજ્યમાં સ્થાયી નિવાસીની પરિભાષા નક્કી કરવાનો અધિકાર હોય છે. સ્થાયી નાગરિકને મળનારા અધિકાર અને વિશેષ સુવિધાની પરિભાષા પણ આર્ટિકલ 35A હેઠળ નક્કી કરવામાં આવે છે. આ કાયદો 1954માં રાષ્ટ્રપતિના આદેશ પછી અમલમાં આવ્યો હતો, જેણે સંસદમાં બંધારણ સુધારાના આર્ટિકલ 368 હેઠળ નથી જોડવામાં આવ્યો.
શું છે આર્ટિકલ 370?
- ભારતના વિલય પછી શેખ અબ્દુલ્લાએ સત્તા સંભાળી હતી. તેમણે તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ પાસેથી જમ્મૂ-કાશ્મીરના રાજનૈતિક સંબધો સાથે વાતચીત કરી હતી. આ વાતચીતના પરિણામ સ્વરૂપે બંધારણની અંદર આર્ટિટલ 370 જોડવામાં આવ્યો. આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપે છે. આર્ટિકલ 370 હેઠળ, ભારતીય સંસદ જમ્મુ-કાશ્મીર મામલે માત્ર 3 મુદ્દા, સુરક્ષા, વિદેશી મામલાઓ અને કોમ્યુનિકેન્શન માટે કાયદા બનાવી શકે છે. આ ઉપરાંત કોઇપણ કાયદાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે.
શું છે આર્ટિકલ 35A?
- આર્ટિકલ 35Aએ 1954માં રાષ્ટ્રપતિના આદેશ માધ્યમથી બંધારણમાં ઉમેરવામાં આવ્યુ હતુ. આર્ટિકલ 35A જમ્મૂ-કાશ્મીર વિધાનસભાને રાજ્યના સ્થાયી નિવાસીની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર આપે છે. જે હેઠળ જમ્મૂ-કાશ્મીરના નાગરિકને ખાસ અધિકાર આપવામાં આવે છે. આ આર્ટિકલ હેઠળ જે લોકો રાજ્યના સ્થાયી નાગરિક નથી તેઓને સ્થાયી રીતે પ્રદેશમાં રહેવાની અનુમતિ નથી. પ્રદેશની સરકારી નોકરીઓ, સ્કોલરશિપ અને અચલ સંપત્તિનુ ખરીદ-વેચાણને હક માત્ર સ્થાયી નાગરિકને છે.
- જમ્મૂ-કાશ્મીરનો આ કાયદો મહિલાઓ માટે ભેદભાવપૂર્ણ છે. જો પ્રદેશની સ્થાયી મહિલા કોઇ ગેર સ્થાયી નાગરિકની સાથે લગ્ન કરે છે તો તેણે રાજ્યની તરફથી મળતી તમામ સુવિધાઓથી વંચિત કરી દેવામાં આવે છે. જોકે 2002માં હાઇકોર્ટે આ ઐતિહાસિક નિર્ણય બદલતા આદેશ આપ્યો કે, પ્રદેશની મહિલાઓ જે ગૈર સ્થાયી નાગરિક સાથે લગ્ન કરે છે તેમ છતાં તેમના અધિકાર રહેશે, પરંતુ આવી મહિલાઓના સંતાનોને સ્થાયી નાગરિકને મળતી તમામ સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 35A ને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને 2014માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. યાચિકા અનુસાર, આ કાયદો રાષ્ટ્રપતિના આદેશ દ્વારા જોડવામાં આવ્યો છે અને ક્યારેય પણ સંસદમાં રજૂ નથી કરવામાં આવ્યો. કાશ્મીરી મહિલાઓએ આ કાયદા વિરુદ્ઘ અપીલ કરી હતી કેમકે તેમના બાળકોને સ્થાયી નાગરિકોને મળતા અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ભાજપે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં આર્ટિકલ 35Aને ખત્મ કરવાની માંગ કરી હતી. જોકે પ્રદેશના તમામ પ્રમુખ ક્ષેત્રીય પાર્ટી તથા નેતાઓ આ આર્ટિકલ હટાવવાની વિરુદ્ઘ છે. તો જોવાનું રહે છે કે મોદી સરકાર હવે શું કરશે...