હિંમતનગરના ગાંભોઈમાં 16 માસની બાળકીના દુષ્કર્મ મામલે રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મહેસાણાના ખેરાલુમાં ઠાકોર સેના દ્વારા રેલી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. ઠાકોર સેનાએ રેલી યોજીને મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ.
દુષ્કર્મના વિરોધમાં ખેરાલુના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને વિરોધ કર્યો હતો.. અને આરોપીઓને કડક સજા આપવાની માગ કરી હતી. આ દુષ્કર્મની ઘટના ભાવપુર ગામની અનુપમ સિરામિક કંપનીમાં બની હતી.
આ ઘટનાને લઇને લોકોના ટોળેટોળા કંપનીએ પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામલોકોએ કંપનીની ગાડીઓ અને સામાનને તોડફોટ અને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં માલિક અને કેટલોક સ્ટાફ જીવ બચાવવા ફરાર થઇ ગયા હતા. જ્યારે આરોપી કામદારની ગાંભોઇ પોલીસે ધરપકડ કરી લીધી હતી.