ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ ગાયિકા અનુરાધા પોંડવાલના દિકરા આદિત્ય પોંડવાલન દિકરાનુ નિધન થયુ છે. છેલ્લા ઘણા સમયથી આદિત્ય કિડનીની તકલીફથી પિડાતા હતા. તે માત્ર 35 વર્ષના હતા અને નાની ઉંમરમાં ગુજરી ગયા.
અનુરાધા અને તેમના પરિવાર માટે આ ખૂબ જ મુશ્કેલીનો સમય છે. વર્ષ 2020 ખૂબ જ ખરાબ સાબિત થયુ છે. કોરોના વાયરસ તેની ગતિ વધારી રહ્યુ છે તો બીજી તરફ મનોરંજન જગતમાં મોટા મોટા સ્ટાર દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. હવે અનુરાધા પોંડવાલનો દિકરો પણ આપણી વચ્ચે નથી રહ્યો. માત્ર 35 વર્ષની ઉંમરમાં તેનુ નિધન થઇ ગયુ છે.
શંકર મહાદેવને આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ કે, જાણીને ઘણુ દુખ થયુ અને દિલ ટૂટી ગયુ. અમારા પ્રિય આદિત્ય પોંડવાલ હવે આ દુનિયામાં નથી રહ્યાં. અચાનક આ ખબર આવવાથી દિલ એકદમ ટૂટી ગયુ છે. તમને જણાવી દઇએ કો પોંડવાલ પરિવાર તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
70ના દશકથી અનુરાધા છે સક્રિય
અનુરાધાની જો વાત કરવામાં આવે તો, બોલિવૂડમાં તે 70ના દાયકાથી સક્રિય છે. 1973થી તે આ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમને ભક્તિના ગીતો માટે ઓળખવામાં આવે છે. તેમના ઘણા બધા આલ્બમ સુપરહિટ રહ્યાં છે. બોલિવૂડમાં પણ તેમણે અભિમાન, લહૂ કે 2 રંગ, એક દૂજે કે લિયે, રંગ બિરંગી, સૌતન, નગીના, સંસાર, ઇન્સાફ, દિલ, આશીકી, બેટા, કલયુગ જેવી ફિલ્મોમાં અવાજ આપ્યો છે.