ઘરમાં કીડી દેખાય કે તરત જ લોકો તેને ભગાડવાના પ્રયત્નો કરવા લાગે છે.
પરંતુ ક્યારેય તમને એવો વિચાર આવ્યો કે કીડીઓ તમારા ઘરે કઇ રીતે આવે છે? ક્યારેક લાલ તો ક્યારેક કીળી કીડી કેમ જોવા મળે છે? અથવા તો અચાનક જ કીડીઓ ક્યાં ગાયબ થઇ જાય છે? કીડીઓ ઘરમાં આવવાથી જીવન પર કેવી અસર પડે છે કે કેવો સંકેત આપે છે તે જાણી લો.
- કાળી કીડીઓને ભગવાનનો વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો શ્રીહરિની કૃ઼પા તમારા પર છે, સાથે જ આ કીડીઓને લોટ ખવડાવવો. કહેવાય છે કે, આમ કરવાથી વ્યકિત જીવન-મરણમાં ચક્રમાંથી મુક્ત થઇ જાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.
- જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવવામાં આવો તો સૌભાગ્યમાં વુદ્ઘિ થાય છે અને પરિવારમાં શુખ-શાંતિ અને એકતા વધે છે.
- જો નોકરી ના મળતી હોય અથવા વારંવાર નોકરી બદલતા હો તો બદામના પાઉડરમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવવો, નોકરીમાં સ્થિરતા આવશે. જો કોઇ દેવુ હશે તો તે પણ ઉતરી જશે.
- જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયેળના પાઉડરમા ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
- જો તમને સપનામાં કીડી દેખાય તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો. આ ઉપાયથી પરિવાર પર આવતુ સંકટ દૂર થશે અને ધનલાભ થશે.
- એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતાં જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવો, મા લક્ષ્મીજી પ્રસન્ન થશે.
- જો તમારા ઘરની છત પર કે ઘરની અંદર કાળી કીડીની લાઈન દેખાય તો સમજવુ તે તમારુ નસીબ બદલાઇ જશે, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે..
- જો ઘરમાં લાલ કીડી દેખાય તો તે બીમારી અને નિષ્ફળતાના સંકેત છે.
- જો કેતુ પરેશાન કરતો હોય તો 43 દિવસ સુઝી કીડીઓને પંજીરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવો, લાભ થશે. યાદ રાખો કે એકપણ દિવસ ભૂલ્યા વિના સળંગ આ ઉપાય કરવો.